બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ખેલૈયાઓ નહીં મેઘરાજા બોલાવશે રમઝટ! અંબાલાલ પટેલની ટેન્શનવાળી આગાહી
Last Updated: 12:57 PM, 10 October 2024
Ambalal Patel Rain Forecast In Navratri : નવરાત્રીમાં ગરબાની મોજ વચ્ચે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. નવરાત્રી પૂર્ણ થવાની વચ્ચે વરસાદની આગાહી સામે આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, બોડેલીમાં વરસાદ વરસશે તો આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે. અંબાલાલની આગાહી પ્રમાણે 14 થી 22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.. હવામાન વિભાગે તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.
વધુ વાંચો : ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની શું ગુજરાત પર થશે કોઇ અસર? જાણો અંબાલાલની આગાહી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી.
વધુ વાંચો : આજે ખેલૈયાઓ તૈયારી રાખજો! આ વિસ્તારમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા
12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું
આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.