ગાંધીનગરના રૂપાલમાં આજે મા વરદાયિનીની પલ્લીમાં લાખો શ્રધ્ધાળુઓ માતાના શરણે શીશ ઝુકાવશે. ત્યારે કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહેલા ભક્તોએ આજ રાતની તડામાર તૈયારીઓ કરી છે. આ પલ્લીમાં હજારો કિલો શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે અને માનો રથ આખા ગામમાં ફેરવવામાં આવે છે લોકો દેશ વિદેશથી આ પલ્લીમાં ભાગ લેવા માટે આવે છે.
8 જગ્યાએ મોટા એલઇડી સ્ક્રીન મૂકાશે, 4થી 5 એમ્બ્યૂલન્સ અને મેડિકલ ટીમ ખડેપગે રહેશે
રૂપાલમાં મા વરદાયિનીના દર્શને 8થી 10 લાખ ભક્તો ઉમટી પડે છે ત્યારે મહિના અગાઉથા આ પલ્લીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આજે પણ પલ્લીમાં સુરક્ષાથી લઈને શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે એ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પલ્લી ગામના 27 ચકલા ફરે છે. કરોડોના ઘીનો અભિષેક કરવામાં આવે છે.
ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે. પલ્લીમાં વરદાયિની માતાને હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે. લાખો ભક્તો પલ્લી પર ઘી ચઢાવી અને પોતાની માનતા પૂરી કરે છે. ત્યારે આ પલ્લીની સંપૂર્ણ તૈયારીઓ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ દ્વારા કરી દેવાઇ છે. આ વર્ષે રૂપાલ પલ્લીમાં 8થી 10 લાખ દર્શાનાર્થીઓ લાભ લેશે.
સડબેજલાક સુરક્ષા
500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. સાથે જ 17થી 18 જગ્યાએ વીડિયોગ્રાફી કરવામાં આવશે. અને 15 જેટલા CCTV કેમેરા લગાવામાં આવશે. સાથે જ 8 જગ્યાએ મોટા LED સ્ક્રીન મૂકવામાં આવશે અને મંદિર ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરાશે. અને આ દરમિયાન 4થી 5 એમ્બ્યૂલન્સ અને મેડિકલ ટીમ ખડેપગે રહેશે. અને વીજ પુરવઠો યથાવત રહે તે માટે યુજીવીસીએલ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે.
પલ્લી સાથે જોડાએલી લોકવાયકા
દ્વાપર યુગમાં પાંડવો જ્યારે ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો ખીજડાના વૃક્ષની નીચે છુપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ ઝાડની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાં પાછા ફર્યા હતા. અને શસ્ત્રો લેવા માટે રૂપાલ આવ્યા હતા. ત્યારે તેમણે શસ્ત્રો પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવીને માતાજી પાસે મૂકી હતી આ પછી તેમણે હસ્તીનાપુર જીત્યુ હતુ. અને આ જીતનો આભાર માનવા ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂપાલ પરત ફરીને તેમણે સોનાની પલ્લી બનાવીને નગરયાત્રા યોજી હતી. બસ તે જ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષોથી નવરાત્રીના નવમા નોરતે માની પલ્લી યોજાય છે.