ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવા મામલે મોટી કાર્યવાહી: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્કમાં સામેલ થવાના આરોપમાં દિલ્હી-NCRના બિઝનેસમેન કબીર તલવારની NIA ધરપકડ કરી લીધી છે.
ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્કમાં સામેલ થવાના આરોપમાં દિલ્હી-NCRના બિઝનેસમેન કબીર તલવારની NIA ધરપકડ કરી લીધી છે.
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી હેરોઇન ઝડપાવાનો મામલો દિલ્હીના સમ્રાટ હોટલમાં પ્લેબૉય બાર ચલાવતા બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ કરાઈ છે. તેમનું દિલ્હી-NCRમાં જ નહીં, દુબઈમાં પણ રેસ્ટોરન્ટ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હરપ્રીત સિંહ તલવાર ઉર્ફ કબીર તલવાર અને પ્રિન્સ શર્માનું નામ સામેલ છે. બન્ને દિલ્હીના રહેવાસી છે. આરોપ છે કે, બન્ને શખ્સ અફઘાનિસ્તાનથી ભારત લવાયેલા 3000 કિલો હેરોઇનની મોટી ખેપની તસ્કરીમાં સામેલ હતા.
મુંદ્રાથી 3000 કિલો હેરોઇન પકડાયું હતું
ગત વર્ષ ગુજરાતના મુંદ્રા પોર્ટથી અંદાજિત 3000 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે દરિયાઇ માર્ગે આ હેરોઇન અફઘાનિસ્તાનથી લવાયું. NIAએ પહેલા દિલ્હીના બિઝનેસમેન તલવાર સાથે પૂછપરછ કરી અને બાદમાં ધરપકડ કરી લીધી.
ડ્રગ્સ ક્યાંથી ક્યાં લવાયું અને ક્યાં મોકલવાનું હતું ?
મોટી હેરોઇનની ખેપની ડિલીવરી અને ખરીદીમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કબીર તલવાર અફઘાનિસ્તાની નાગરિકો દ્વારા ડ્રગ્સ ખરીદી રહ્યા હતા અને દુબઈના રસ્તે પૈસા મોકલી રહ્યા હતા. જણાવાયું છે કે, રિફાઇન્ડ ડ્રગ્સને કથિત રીતે બિઝનેસમેન દ્વારા સર્કુલેટ કરવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો બાકીનો હિસ્સો પંજાબ મોકલવામાં આવતો હતો.
NIAએ શરૂઆતમાં આ કેસની ચાર્જશીટમાં 16 આરોપીઓનો ઉલ્લેખ કર્યો હતો. NIAના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, એજન્સીને શંકા છે કે આ તસ્કરીથી જોડાયેલા પૈસાને અફઘાનિસ્તાન મોકલીને આતંકવાદી ગતિવિધિઓનું ફંડિંગ કરાતું હતું. આ મામલે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે કનેક્શન પણ તપાસમાં આવી રહ્યું છે.
21000 કરોડ રૂપિયા હેરોઇનની કિંમત આંકવામાં આવી
ઇન્ટરનેશનલ બજારમાં ઝડપાયેલા હેરોઇનની કિંમત અંદાજિત 21000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. માદક પદાર્થને અફઘાનિસ્તાનના કંધારથી ઈરાનના બંદર અબ્બાસ બંદરગાહ અને ત્યાંથી પછી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું.
ત્યારે અદાણી ગ્રૃપને શું કહેવામાં આવ્યું હતું
મુંદ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. તે સમયે, અદાણી ગ્રુપે કહ્યું હતું કે, મુંદ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પર પહોંચેલા 2 કન્ટેનરોથી મોટી માત્રામાં પ્રતિબંધિત હેરોઇન ઝડપાયું હતું. દેશના કોઈપણ પોર્ટ સંચાલક પાસે કન્ટેનરો ખોલીને તેની તપાસ કરવાનો અધિકાર નથી હતો, એટલા માટે તેની કોઈ ભૂમિકા નથી.