બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ, જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ
Last Updated: 06:16 PM, 29 April 2025
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓની મુશ્કેલી વધી છે. જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની અરજી રદ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી છે. અત્રે જણાવીએ કે, સેશન્સ કોર્ટમાં બે મહિના પહેલા આરોપીઓએ અરજી કરી હતી. જયસુખ પટેલ સહિત 10 આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી
ADVERTISEMENT
150થી વધુના મોત થયા હતા
ADVERTISEMENT
રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં 25થી વધુ બાળકો સહિત 150થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું હતુ. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને તેમના પરિવારજનો અને સ્નેહીજનોને સોંપવામાં આવ્યા હતા.
સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ
જણાવી દઈએ કે આ ઝૂલતા પુલના મેન્ટેનન્સની જવાબદારી ઓરેવા ગ્રુપની પાસે હતી. આ ગ્રુપે માર્ચ 2022થી માર્ચ 2037 સુધીનો 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે આ કરાર કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બ્રિજ 5 દિવસ પહેલા સમારકામ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જેમાં ક્ષમતા કરતા વધારે લોકોને આ પુલ પર જવા દેવાને કારણે આ દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો: માત્ર ઘી નહીં, હવે તો પાન-મસાલા પણ બનાવટી, LCBએ સાડા 8 લાખના મુદ્દામાલ સાથે 4 લોકોને દબોચ્યાં
મોરબીનો કેબલ બ્રિજ ક્યારે બંધાયો?
કેબલ બ્રિજ કે ઝૂલતા પુલ મોરબીના રાજા વાઘજી રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન વર્ષ 1879માં કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 1879માં બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બ્રિટિશ શાસનમાં બનેલો આ પુલ એક ખૂબ સારું એન્જિનિયરિંગનું પ્રતિક રહ્યો છે. મચ્છુ નદી પર બનેલો આ પુલ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઐતિહાસિક ઝુલતો પુલ 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો હતો અને ગુજરાત પ્રવાસનની યાદીમાં પણ સામેલ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.