જામનગરમાં 7મી સપ્ટેમ્બરથી રામકથા સમિતિએ મોરારિબાપુની માનસ ક્ષમા કથા યોજવામાં આવી છે જેમાં બાપૂએ બંધ બેસતી પાઘડી ન પહેરી લઈએ તેવી ટકોર સાથે માર્મિક રીતે ઘણી ટકોર કરી છે. જેમાં નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવું નહી પણ હવે જોવા પળે તેવી ટકોર કરી હતી
જીભ એ શરીરનું અંગ છે માટે પ્રહારક બની શકે પરંતુ જીવ એ તો અંશ છે
હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે
શું કહ્યું મોરારિ બાપૂએ ?
મોરારી બાપૂ એ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતુ કે, વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી ભગવાન જીસસને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પ્રભુ તેને માફ કરજે કારણ કે, તેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે મારે 2100 વર્ષ પછી થોડા ફેરફાર સાથે કહેવું છે હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે. મારી જીભ નથી બોલતી મારો જીવ બોલે છે. " તેમણે વધુમાં માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના લક્ષણો વર્ણવ્યા હતાં.
દામન પે દાગ આયે ન આયે મેરા નસીબ કીચડ ઉછાલ કે તેરી હસરત નીકલ ગઇ
મોરારી બાપૂએ પાછલા કેટલાક દિવસો પરથી ચાલી રહેલા ધર્મ મુદ્દાના ઘમાસાણ ઉપર ખુલ્લે આમ તો પ્રહાર નહોતા કર્યા પરંતુ તેમણે કથામાં અમુક વાતો વણી લીધી હતી. જીભ વીશે પણ બાપૂએ ખરી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જીભ એ શરીરનું અંગ છે માટે પ્રહારક બની શકે પરંતુ જીવ એ તો અંશ છે અને એટલે જ એ પ્રસાદક છે. દામન પે દાગ આયે ન આયે મેરા નસીબ કીચડ ઉછાલ કે તેરી હસરત નીકલ ગઇનો શેર કહીને મનની વાત રજૂ કરી દીધી હતી.
શ્રધ્ધા, મૈત્રી, દયા, વિવેક અને ક્ષમા સાચા સાધુના લક્ષણ
સાધુની વ્યાખ્યા કરતા મોરારીબાપુએ કહ્યું કે, તક સાધતા તક સાધુ હોય, બક સાધુ હોય, ચક સાધુ હોય, બક-બક સાધુ, રકઝક સાધુનો સંવાદ કરતા હતા તે વાત કહી ક્ષમા પદાર્થને કેન્દ્રમાં રાખી શ્રધ્ધા, મૈત્રી, દયા, વિવેક અને ક્ષમા સાચા સાધુના લક્ષણ હોવાનું જણાવ્યું હતું. કોઇ પણ ધર્મ હોય કોઇ દિવસ કોઇની સાધનાનો, સાધન, મંત્ર, સૂત્ર, શસ્ત્ર, શાસ્ત્રનો અપરાધ કરવાનું જણાવી નિરાપરાધીને અપરાધી ઘોષિત ન કરી શકે આ મુદ્દે તેમણે ભગવાન કૃષ્ણના નાગદમનના પ્રસંગને વર્ણવ્યો હતો.