રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવાત રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજરોજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ
સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો
ગાંધીધામમાં સવા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ગાંધીધામમાં સવા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ, તલાલામાં 2 ઈંચ, જસદણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાધનપુર, સરસ્વતિ, દાંતા, પડધરી, વેરાવળ, ગઢડા, કાલાવડ, વાંસદા, ધોળકા, માળિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિરમગામ-જામ કંડોરણા-ભચાઉ-સાણંદમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામતા વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.