ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર યોજાઇ રહ્યું છે. આ એક દિવસીય સત્રમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ રજૂ કરાશે.
દરમિયાન આજના વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલાં જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પોતાના લોહીથી લખેલા પોસ્ટર દર્શાવી સીએએ સામે વિરોધ વ્યકત કરતાં વિધાનસભાની લોબીમાં ભારે રાજકીય ગરમાવો ફેલાયો હતો.
ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં ઘમાસાણ
નાગરિકતા સંસોધન કાયદા અંગે વિરોધ
ધારાસભ્યએ લોહીથી લખ્યો લેટર
દરમિયાન વિધાનસભાના સત્ર પહેલાં કોંગ્રેસે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામે વિરોધ વ્યકત કરતાં આજ સવારથી જ ગાંધીનગરમાં રાજકીય ગરમાવો ફેલાયો છે. આજના એક દિવસના સત્રમાં સીએએ, બાળકોનાં મોત, સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ, પાક વીમા કાયદો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વગેરે મુદ્દા પર વિપક્ષ કોંગ્રેસ રાજ્ય સરકાર પર પસ્તાળ પાડશે.
15 મિનિટ માટે વિધાનસભા સ્થગિત
વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો જેને કારણે હોબાળા બાદ 15 મિનિટ માટે સત્ર બંધ કરાયું હતુ.
રાજ્યપાલે ભાષણ ટુંકાવી ગૃહ છોડ્યુ
કોંગ્રેસના વિરોધને લઈને રાજ્યપાલે પ્રવચન ટુંકાવ્યું હતુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહ છોડી રવાના થઈ ગયા હતા.