વલસાડમાં પારસીઓના સંજાણ ડે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં રાજ્ય વન આદિજાતિ મંત્રી રમણ પાટકરે ભાંગરો વાટ્યો છે.. પારસીઓના ઈતિહાસ પર ભાંગરો વાટ્યો. પારસીઓના ભારતમાં આગમનને 300 વર્ષ ગણાવ્યા. ભારત આગમનને 1300 વર્ષ પૂર્ણ થવા છતાં અજ્ઞાનતામાં 300 વર્ષ પૂર્ણ કર્યા હોવાનું કહ્યું. સાથે જ કહેવતમાં પણ ભાંગરો વાટ્યો. મંત્રીએ દૂધમાં સાકર ભળવાની કહેવતના સ્થાને પારસીઓ પાણીમાં ખાંડની જેમ ભળી ગયા હોવાનું જણાવ્યું
પારસીઓના ભારત આગમનના 300 વર્ષ ગણાવ્યા
ભારત આગમનને 1300 વર્ષ છતા અજ્ઞાનતામાં 300 કહ્યાં
પારસીઓ પાણીમાં ખાંડની જેમ ભળી ગયા: પાટકર
પારસીઓના ભારત આગમન વખતે ખૂબ જ જાણીતી કહેવત, દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ ભારતમાં ભળી ગયા છે. આ કહેવતને ઊંધી જ ટાંકી રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે પારસીઓ માટે પાણીમાં ખાંડ ભળે તે રીતે ભળી ગયા હોવાના જાહેર મંચ પરથી કરેલી વાર્તા ને કારણે મંત્રી હાસ્યાસ્પદ બન્યા હતા.
દર વર્ષે પારસીઓ સંજાણ ડે ની ઉજવણી
મહત્વપૂર્ણ છે કે આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓ દ્વારા સંજાણ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આજ થી 1300 વર્ષ આગાઉ પારસીીઓ સંજાણ બંદરેથી ભારતમાં પ્રવેશ્યા હતા. તે વખતે સંજાણ ના રાજા જાદી રાણા એ પારસીઓને આશરો આપ્યો હતો. એ વખતે થી આ દિવસની યાદમાં દર વર્ષે પારસીઓ સંજાણ ડે ની ઉજવણી કરે છે. અને પોતાને આશરો આપનાર સંજાણ ના રાજા જાદી રાણા નો આભાર માને છે.
મંત્રી રમણ પાટકર એ ઊંધો જ ઈતિહાસ વર્ણવ્યો
આજે પણ સંજાણ ડેની ઉજવણી નિમિત્તે પારસીઓ નો એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર. દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત મોટી સંખ્યામાં પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પ્રસંગે ઉપસ્થિત પારસીઓને સંબોધતા રાજયના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર એ ઊંધો જ ઈતિહાસ વર્ણવ્યો હતો.
ભારતીયોમાં ભળી જવાની કહેલી વાતને. રમણ પાટકરે અજીબ રીતે વર્ણવી
મહત્વપૂર્ણ છે કે આજ 1300 વર્ષ પહેલાં પારસીઓ ઈરાનથી ભારતમાં આવ્યા હતા. જોકે રમણ પાટકર એ આજે પારસીઓ ને ભારતમાં આવ્યાંને ૩૦૦ વર્ષ થયા હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. વધુમાં આટલેથી ન અટકતા. પારસીઓના ભારત આગમન વખતે સંજાણ ના રાજા જાદી રાણા એ પારસીઓને આશરો આપતી વખતે ના પ્રસંગ એ બનેલી ઐતિહાસિ ઘટના કે દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ ભારતીયોમાં ભળી જવાની કહેલી વાતને. રમણ પાટકરે અજીબ રીતે વર્ણવી હતી. રમણ પાટકર ના કહેવા મુજબ પારસીઓ પાણીમાં ખાંડ ભળે તે રીતે ભારતીયોમાં ભળી ગયા છે. આવી ઉલટા પુલટા ઐતિહાસિક ઘટના ટાંકતા રમણ પાઠકના નિવેદન હાસ્યાસ્પદ બન્યું હતું.