ગાંધીનગર ખાતે રાજ્યના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે તેમણે જણાવ્યું કે, વ્હિકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે.
ગાંધીનગરથી મંત્રી પૂર્ણેશ મોદીનુ નિવેદન
વ્હિકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશેઃ પ્રર્ણેશ મોદી
નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે
ગુજરાતના મંત્રીએ મોટી જાહેરાત કરી છે, જેને લઇને વાહનચાલકો ખુશ થયા છે. ગાંધીનગરથી મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, RTOમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો વ્હિકલ નંબર ઇચ્છતો હોય છે. ત્યારે હવેથી વ્હિકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે. વાહન વેચી શકે નંબર પોતાની પાસે રાખી શકે છે. નંબર પોતાની પાસે રાખે તેનો ચાર્જ લેવામાં આવશે. સ્ક્રેપ વાહન થાય તો પણ નંબર પોતાની પાસે રાખી શકાશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે.
વાહનનો જનો નંબર હવે રીટેન કરી શકશેઃ પુર્ણશ મોદી
વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે યોક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોનો તેઓના નંબર સાથે જોડાયેલ લાગણીને કારણે જુના વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે.
દિલ્હી, ઉ.પ્ર બાદ ગુજરાતમાં પણ આ પોલીસી લાગૂ થશે
ત્યારે વાહન વ્યવહાર મંત્રી દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રૉટન્શનની પોલીસીન અમલમાં મુકવામાં આવશે તેમ જણાવ્યું છે. આ પોલીસીમાં વાહન માલીક બે કિસ્સામાં તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે.
વાહન માલિક જ્યારે વાહનની તબદોલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રોટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવી નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.
વાહન સ્કેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર
રીટેન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે
વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનો માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનની નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાડીના પ્રકાર સમાન હોવા જરૂરી છે.
અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રીટેન કરી શકાશે નહી. રીટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રીટેન કરેલ નંબર ફાળવવાની પ્રક્રિયા ૧૫ દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રીટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહીં. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રીટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રક્રિયા વાહન નંબર રીટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે.
વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ.૮,૦૦૦/-, સિલ્વર નંબર માટે રૂ ૩,૫૦૦/- અને અન્ય નંબર માટે ૨,૦૦૦/- અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ.૪૦,૦૦૦/-, સિલ્વર નંબર માટે રૂ.૧૫,૦૦૦/- અને અન્ય નંબર માટે રૂ.૮,૦૦૦/- મિનીમમ ફી ચુકવવાની રહેશે.
રી સરફેસના 350 જેટલા કામ હતાઃ પૂર્ણેશ મોદી
તો રાજ્યમાં રોડની સ્થિતિ મુદ્દે મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રી સરફેસના 350 જેટલા કામ હતા. મોટા ભાગના રોડનું વીડિઓ સર્વેલન્સ કર્યું છે. હિંમતનગર હાઇવનુ કામ ઘણા સમયથી બંધ હતું. બે વાર રિવ્યુ મિટિંગ લીધી હતી. હિંમતનગર રોડમાં કોન્ટ્રેક્ટ ઇસ્યુ થયો છે.