ગુજરાતમાં જ્યારે હવે ચોમાસું દસ્તક દેવા જઇ રહ્યું છે ત્યારે ખરીફ સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. જો કે તેમ છતાં રાજ્ય સરકાર ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો પહોંચાડી શકી નથી. ખુદ કૃષિમંત્રીના ગામમાંથી આવી ફરિયાદો ઉઠવા પામી છે. જગતના તાત બિયારણ મળશે એવી આવશાએ રોજ લાઇનો લગાવી રહ્યાં છે પરંતુ નિરાશા હાથ લાગીતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યમાં ખરીફ સિઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હજુ સુધી જામનગરમાં કેટલાક ખેડૂતોને બિયારણ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા હજુ પણ ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો નથીં પહોંચાડવામાં આવ્યો.
રાજ્યના ખુદ કૃષિમંત્રીના ગામમાં જ બિયારણ ન મળવાની ફરિયાદો ઉઠી છે. ચોમાસાની ખરીફ સીઝન પૂર્વે સરકાર દ્વારા જ સર્ટીફાઈડ કરેલ બીયારણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે સરકાર આ જવાબદારી સહકારી સંઘ અને મંડળીઓને આપતી હોય છે.
ત્યારે જામનગરમાં જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ દ્વારા તાલુકાના ખેડૂતોને બિયારણ અને રાસાયણિક ખાતર વિતરણ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે અહીં અવ્યવસ્થા જોવા મળે છે. ખેડૂતો લાંબી લાઇનો લગાવે છે પરંતુ તેમને પૂરતું બિયારણ નથી મળતું.
બિયારણ વેચાણ કેન્દ્ર પર અપૂરતા જથ્થાના કારણે ખેડૂતોને બિયારણ નથી મળતા. ત્યારે ખેડૂતોનો આરોપ છે કે બિયારણ વેચાણ કેન્દ્ર પર સગાવ્હાલાઓને પહેલા બિયારણ આપવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોની માગ છે કે તેમને જલદી બિયારણ અને ખાતર પૂરું પાડવામાં આવે.
સળગતા સવાલ
ખરીફ સિઝન સામે છે છતા ખેડૂતોને કેમ હજુ બિયારણ નથી મળ્યું?
રોજ ખેડૂતોએ કેમ ધક્કા ખાવા પડે છે?
બિયારણ વેચાણ કેન્દ્ર પર કેમ અવ્યવસ્થા છે?
શું પૂરતું વેચાણ કેન્દ્ર પર પૂરતું બિયારણ નથી આવતુ?
શું બિયારણ માત્ર સગાસંબંધીઓને જ આપી દેવામાં આવે છે?