ગૃહરાજ્યમંત્રી પ્રદીસસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે. ચૂંટણીમાં આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાઇ છે. આ કેસની આગમી સુનાવણી 9 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. કોર્ટે પ્રદીપસિંહ સામેની અરજી ગ્રાહ્ય રાખી છે. પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે ફરિયાદ
ચૂંટણીમાં આચાસંહિતા ભંગની મેટ્રો કોર્ટમાં ફરિયાદ
2007માં અસારવા વિધાનસભાની ચૂંટણીમાં છપાવી હતી પત્રિકા
2007ની વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગ બદલ અસારવા બેઠકના ભાજપના તત્કાલીન ઉમેદવાર અને હાલના રાજ્યકક્ષાના ગૃહ તથા કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ગુનો નોંધવા માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યુ છે કે, ફરિયાદીનું વેરિફિકેશન અને કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો જોતા પ્રથમદર્શીય ગુનો બને છે. આરોપી પ્રદીપસિંહ જાડેજા સામે પ્રોસેસ ઈશ્યૂ કરવામાં આવે છે. આ કેસમાં હવે 9મી જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે, આ મામલે ચૂંટણી અધિકારી પ્રકાશ મકવાણાએ કોર્ટમાં પ્રાઈવેટ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે.
શું છે મામલો
વર્ષ 2007માં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 ઓકટોબર, 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બર 2007ના રોજ રાજયમાં ચૂંટણી યોજવામાં આવી હતી. આ સમય દરમિયાન ચૂંટણી પંચે આચારસંહિતા જાહેર કરી હતી. આમ છતાં અસારવા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રિ ગરબા દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથેની પત્રિકાનું વિતરણ કર્યું હતું. જે અંગે લેખિત ફરિયાદ ચૂંટણી અધિકારીને શહેર કોગ્રેસ સમિતિના પંકજ શાહે કરી હતી.
શું કહ્યું મેટ્રો કોર્ટના નામદાર ન્યાયાધિશે
મેટ્રો. કોર્ટ મેજિસ્ટ્રેટ જિજ્ઞોશ જી.દામોદ્રાએ પ્રોસેસ ઈશ્યૂ કરતા ઠરાવ્યું હતું કે, તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરતા જ્યારે ફરિયાદીને ફરિયાદ કરવાની સત્તા હોય તથા આદેશ કલેકટર અને ચૂંટણી અધિકારીએ 25 ઓકટોબર 2007ના રોજ કર્યો હતો. જેના આધારે ચૂંટણી અધિકારીએ ફરિયાદ કરી હતી. ફરિયાદી તેમના હોદ્દાને આનુષાંગિક ફરજો બજાવતા હોઈ તે સરકારના ઉચ્ચ અમલદાર છે. ઉપરાંત કલેકટર કક્ષાના અધિકારી આ કેસના આરોપી સામે કોઈ અંગત રાગદ્વેષથી ફરિયાદ કરી હોય તેવું પણ જણાતું નથી. પોતાની ફરજના ભાગરૂપે ફરિયાદ કરી હોવાનું રેકોર્ડ ઉપરથી જાણી શકાય છે.
જો ગુનો સાબિત થાય તો શું થશે સજા
જો પ્રદીપસિંહ જાડેજાનો ગુનો સાબિત થાય તો 6 માસની જેલની સજા અને રૂા. 2000નો દંડ ફટકારવામાં આવશે. સજા વધુ મોટી નથી પરંતુ હાલની પ્રદીપસિંહ જાડેજાની પોઝીશન જરૂરથી મોટી થે હાલ તે રાજ્યના ગૃહમંત્રી છે.