બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Last Updated: 09:52 PM, 18 April 2025
લોકો હવે નાની નાની બાબતે પણ જીવન ટૂંકાવવાનું પગલું ભરતા જરા પણ વિચારતા ન હોય તેમ આપઘાતની ઘટનાઓ વધી રહી છે. આજે વધુ એક ઘટના મહેસાણાથી સામે આવી છે. જ્યાં માતાએ દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી છે.
ADVERTISEMENT
માતા - પુત્રીનો આપઘાત
ADVERTISEMENT
નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો છે. ધોરણ-3માં ભણતી દીકરીને લઈ માતાએ મોતની છલાંગ લગાવી હતી. પાપ્ત વિગતો મુજબ મૃતકો સાણંદના મખીયાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કેનાલ પાસે તપાસ હાથ ધરતા પોલીસને ચિઠ્ઠી, મોબાઈલ અને 1 થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુ જોડેથી 30 હજાર લેવાના હોવાનો ઉલ્લેખ પણ છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
પ્રાથમિક તપાસમાં આપઘાતનો કારણ એવુ ખુલ્યું છે કે, રૂપિયા પાછા ન મળતા રસીકની બીક લાગતી હોવાથી આ પગલુ ભર્યું હોઈ શકે ત્યારે સમગ્ર આ મામલે પોલીસે વધુ તપાસ તેજ કરી છે. જો કે, ઘટનાના પગલે પથંકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે તો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.