ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં મોટી છૂટછાટ આપી છે. સરકારે હવે લગ્ન સમારંભમાં 100ના બદલે 200 લોકોને છૂટ આપી છે. રાજ્યમાં આવતી કાલથી આ નિર્ણય અમલી બની જશે.
કોરોનાકાળમાં લગ્ન કરનાર માટે સારા સમાચાર
રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં આપી છુટછાટ
હવે લગ્ન સમારંભમાં 100ના બદલે 200 લોકોને છૂટ
હાલમાં ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લોકડાઉન બાદ અનલોકમાં સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં સરકારે લગ્ન સમારંભને લઇને મોટી છૂટ આપી છે.
આવતી કાલથી રાજ્યમાં લગ્ન સમારંભમાં સરકાર દ્વારા 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકાર દ્વારા લગ્ન સમારંભમાં 100 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી હતી.