પશ્ચિમ રેલ્વેએ યાત્રીઓની સુવિધા માટે દાદર અને અમદાવાદની વચ્ચે ગુજરાત મેલ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશ્યલ ટ્રેન નવી સુચના સુધી રોજ ચાલશે. આજથી એટલે કે 20 ડિસેમ્બરથી તેને માટેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.
રેલ્વેના યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ
દાદરથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ ગુજરાત મેલ
આજથી બુકિંગ સેવા થઈ શરૂ
પશ્ચિન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકરે કહ્યું કે ટ્રેન નમ્બર 09201 દાદર- અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન 22 ડિસેમ્બરથી રોજ દાદરથી રાતે 9.40 મિનિટે રવાના થશે અને બીજા દિવસે સવારે 5.55 મિનિટે અમદાવાદ પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09202 અમદાવાદ -દાદર સ્પેશ્યલ ટ્રેન 21 ડિસેમ્બરથી રોજ અમદાવાદથી રાતે 10.50એ રવાના થશે અને બીજા દિવસે સવારે 6.15 મિનિટે દાદર પહોંચશે.
આ સ્ટેશનોએ રોકાશે ટ્રેન
આ ટ્રેન બંને દિશાઓમાં બોરિવલી, દહાનૂ રોડ, વલસાડ, નવસારી, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને મણિનગર સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીની સાથે સ્લીપર ક્લાસ અને સેકન્ડ શ્રેણીના સીટિંગ કોચ પણ સામેલ હશે. ટ્રેન નંબર 09201 અને 09202ને માટે બુકિંગ આજથી શરૂ થયું છે. તમે પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકો છો.