બુધવારની સવાર વરધરી ગામ માટે માઠા સમાચાર લઈને આવી છે. ગઈકાલે મોડી રાતે કાર અને બાઈકનો એક ભયકંર અકસ્માત થયો છે જેમાં એક જ ગામના ત્રણ યુવાનોના મોત થતા વરધરીમાં આક્રંદ મચી ગયુ હતુ.
બાલાસિનોર વીરપુર રોડ પર અકસ્માત
મોડીરાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત
બાઇક પર સવાર 3 યુવકોના ઘટનાસ્થળે મોત
મહીસાગરના બાલાસિનોર વીરપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે દેવ દિવાળીની રાતે એક કાર અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેમાં બાઈકનો તો કુચ્ચો બોલી ગયો હતો. બાઈક ઉપર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
ભીમભમરડા મંદિર પાસે અકસ્માત
મૃતક ત્રણેય યુવાનો વરધરી ગામના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. આ આકસ્માત ભીમ ભમરડા મંદિર પાસે સર્જાયો હતો. હાઈવે પર અવાર નવાર આવી દુર્ઘટનાઓ ઘટતી રહે છે પરંતુ એક જ ગામના યુવાનોના મોત થતા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
બાઈક અને કારના કુચ્ચા બોલી ગયા
બાઈકની તો હાલત જોવા જેવી નથી. બાઈકની તસવીર પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, તેમાં સવાર યુવાનોની શું હાલત થઈ હશે.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટના મોડી રાતે ઘટી હતી. પરંતુ વહેલી સવારથી જ લોકોમાં હલચલ જોવા મળી હતી જેને પગલે તંત્ર સહિત બચાવ કામગીરી સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ એ પહેલા જ 3 યુવાનો પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. પોલીસે આ અંગે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.