કોરોનાની મહામારીને કારણે 7 મહિનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે એસટી સેવા બંધ કરાઈ હતી જે તહેવારોને ધ્યાનમાં રાખીને ફરીથી શરૂ કરવામાં આવી છે.
આજથી ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા શરૂ
તહેવારોમાં મુસાફરોને મળશે રાહત
રોજ 242 ST બસોની ટ્રીપો આજથી શરૂ કરાઈ
આજથી ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા શરૂ થઈ ગઈ છે. જેને કારણે તહેવારોમાં મુસાફરોને રાહત મળશે. રોજ 242 ST બસોની ટ્રીપો આજથી શરૂ કરાઈ છે. છેલ્લા સાત મહિનાથી આ સેવા બંધ હતી ત્યારે સાત મહિના બાદ પરિવહન સેવા શરૂ કરાઇ છે. કોરોનાકાળમાં ગુજરાત બહાર જતી બસો બંધ કરાઈ હતી. રોજના 12000 મુસાફરો ST બસ સેવાનો લાભ લઇ શકશે.
આજથી ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા શરૂ, તહેવારોમાં મુસાફરોને મળશે રાહત: રોજ 242 ST બસોની ટ્રીપો આજથી શરૂ કરાઈ #GSRTC#maharasthra#Gujarat