1960માં ગુજરાતની સ્થાપના થયા બાદ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોતાનો હક્ક દાવો કરી રહ્યું છે.
ગુજરાત-મહારાષ્ટ્રનો સરહદનો વિવાદ
ઉમરગામ અને તલાસરીનો વિવાદ
ગુજરાતના સર્વે નંબર પર મહારાષ્ટ્રનો દાવો
વર્ષ 1960 માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ. આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ નો વિવાદ વણઉકલ્યો રહ્યો છે.રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદ નો વિવાદ આજે પણ યથાવત છે.ગુજરાત ની સોળસુંબા ગ્રામ પંચાયત માં આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે.
શું છે સમગ્ર વિવાદ?
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ આજે પણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોતાનો હકક દાવો કરી રહ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા અને મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની હદ પર આવેલા સોલસુંબા ના કેટલાક સર્વે નંબર પર આજે પણ મહારાષ્ટ્ર રાજ્ય પોતાના હક જતાવી રહ્યુ છે. સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે.આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવા નો વિરોધ કરી રહ્યા છે
ગામ પંચાયતના લોકો ગુજરાતમાં રહેવા માંગે છે
તો વર્ષો થી સોળસુંબા ગ્રામ પંચાયત , વલસાડ જિલ્લા સહિત રાજ્ય સરકારને ટેક્ષ ચૂકવતા મિલકત ધારકો પણ મહારાષ્ટ્ર કરવામાં આવેલા દાવા નો વિરોધ કરી રહ્યા છે. સ અને ગુજરાતની સાથે જ રહેવાની માંગ કરી રહ્યા છે.સ
ગુજરાત અને મહારાષ્ટ્રના અધિકારીઑની ટીમ સામ સામે
ઉમરગામ તાલુકા અને તલાસરી તાલુકાના સ્થાનિક તંત્ર વચ્ચે અત્યાર સુધી પત્રોની આપ-લે થતી હતી. પરંતુ હવે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના તલાસરી તંત્ર દ્વારા સોળસુંબાના કેટલાક મિલકતધારકોને જમીન માપણીની નોટિસ પાઠવવામાં આવી હતી. આ મિલકત ધારકોએ ઉમરગામ મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ બાબતની જાણ કરતા આજે સવારથી જ ઉમરગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગો ની ટીમ પુરા પોલીસ પ્રોટેક્શન સાથે પૂરી તૈયારી સાથે બોર્ડર પર અડિંગો જમાવ્યો હતો. જોકે ચારથી પાંચ કલાક સુધી ગુજરાતના અધિકારીઓની ટીમે રાહ જોયા બાદ મહારાષ્ટ્રના તલાસરી થી સરવેયર સહિતની એક ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે બોર્ડર પર જગ્યા પર પહોંચી હતી.
બંને પક્ષે પોતાનો અડીંગો જમાવ્યો
આથી મહારાષ્ટ્રની અને ગુજરાતની ટીમનો આમનો સામનો થયો હતો .જોકે ઉમરગામ મામલતદાર દ્વારા માપણી કરવા આવેલા સર્વેયર સહિતની ટીમના અધિકારીઓ સાથે વાત કરી હતી વિરોધ નોંધાવ્યો હતો. અને ને રાજ્યો વચ્ચે ની હદ નો વિવાદ હોવાથી સ્થાનિક તંત્ર નહિ પરંતુ બંને રાજ્ય સરકારો દ્વારા નિવેડો લાવવા માં આવે તેવી વાત કરી હતી. આ વાત બાદ માપણી બંધ રહી હતી. આ બાબતે હવે ઉમરગામ ટીમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર ને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. તો મહારાષ્ટ્ર ની ટીમે પણ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
વિવાદનો સખુદ અંત ક્યારે?
જમીનના કટકા માટે આદિકાળ થી લડાઈ ચાલતી હવે છે. ક્યારેક બે દેશ વચ્ચે તો ક્યારેક બે પાડોશીઓ વચ્ચે.જોકે આ લડાઈ મહારાષ્ટ્ર અને ગુજરાતના બે ગ્રામ પંચાયતની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદના 60 વર્ષ થી ચાલતો વિવાદ આજે પણ વણઉકેલ્યો છે વિવાદ વળી જમીન ના તમામ લોકો ગુજરાત માં જ રહેવા માંગે છે.જેથી હવે વિવાદ વધુ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય સરકાર દ્વારા બે રાજ્ય વચ્ચેના આ હદ અંગે જરૂરી કાર્યવાહી અને નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.