ગાંધીનગરમાં રાજ્ય સરકારના કૃષિમંત્રીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે મગફળી ખરીદી મુદ્દે નિવેદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોમ્બર ખેડૂત રાજિસ્ટ્રેશન કરાવી શકશે અને 20 ઓક્ટોમ્બર સુધી આ નોંધણી કરી શકાશે.
મગફળી ખરીદી મુદ્દે RC ફળદુની પત્રકાર પરિષદ
1 ઓક્ટોમ્બર ખેડૂત રાજિસ્ટ્રેશન કરાવશે
20 ઓક્ટોમ્બર સુધી નોંધણી કરી શકાશે
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, 21 ઓક્ટોમ્બરે ખરીદી શરૂ થશે. આ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવશે. કૃષિમંત્રીએ રાજ્યના વરસાદને લઇને કહ્યું હતું કે, રાજ્યમાં સારો વરસાદ થયો છે અને આગામી ઉનાળામાં પણ ખેડૂતો સારો પાક લઈ શકશે.
મગફળીની ખરીદીની પ્રક્રિયા વેલા શરૂ થશે
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે અને અધિક માસના કારણે મગફળી ખરીદી પ્રક્રિયા વહેલી થશે.
33%થી વધુ નુકશાન થયુ હશે તેમને સહાયતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વધારે પ્રમાણમાં પડેલા વરસાદને પગલે ઘણા બધા ખેડૂતોનો નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ અંગે કૃષિમંત્રીએ કહ્યું હતું કે, નુકશાન થયુ છે ત્યા સર્વે કરવામાં આવશે અને જ્યાં 33%થી વધુ નુકશાન થયુ હશે તેમને સહાયતા અપાશે.
3 લાખ હેક્ટરમાં સર્વેનુ કામ પૂર્ણ થયું
તેમણે નુકસાનીના સર્વે અંગેની કરવામાં આવેલ કામગીરી અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 13 લાખ હેક્ટરમાં સંભવિત નુકશાન થયું છે અને હાલ 3 લાખ હેક્ટરમાં સર્વેનુ કામ પૂર્ણ થયુ કરવામાં આવ્યું છે. આ સાથે સર્વે માટે સમયગાળો હજુ લંબાવવો પડશે.