ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં મગફળી કૌભાંડ અને ખેડૂતોને વળતર ચુકવણી મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. જેમાં ખેડૂતો માટે ગુજરાત સરકારે ખાસ પેકેજ જાહેર કર્યુ હોવાનું કૃષિમંત્રીએ બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું હતુ.
મગફળી સ્કેમ મુદ્દે પગલા લેવાશે
તીડ પડ્યા છે તે ખેડૂતોને પણ મદદ અપાશે
25મી ડિસેમ્બરે કાર્યાવાહી પૂર્ણ થશ
શું કહ્યુ કૃષિપ્રધાન આર સી ફળદુએ
ખરિફ સિઝનમાં સારો વરસાદ થયો પણ કમોસમી વરસાદથી પાકમાં નુકશાન પણ થયુ છે. સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યુ છે. 17 લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી છે. આવતા સપ્તાહમાં 17 લાખ ખેડૂતોને ચૂકવણુ થઈ જશે. પેકેજ પ્રમાણે ખેડૂતોના ખાતામાં રૂપિયા આવી જશે.
25 ડિસેમ્બરે કામગીરી પૂર્ણ થઈ જશે.
1.73 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઈ છે. 23 કરોડ રૂપિયાની રકમ છેલ્લા 2 દિવસમાં ચૂકવાઈ છે. 14 તારીખે રાજસ્થાનમાંથી તીડનુ આક્રમણ થયુ. સૂઈગામ અને વાવમાં તીડનુ આક્રમણ થયુ છે. તીડના કારણે પ્રભાવિત ખેડૂતોને મદદ કરાશે. સર્વે કરી ખેડૂતોને સરકાર મદદ કરશે
રાજકોટમાં મગફળી કૌભાંડ અંગે શું કહ્યું
- રાજકોટના પડઘરીના ખેડૂત મગફળી વેચવા આવ્યા હતા.
- મગફળીમાં કચરો હોવાથી તે કચરો દૂર કરવા તેને કહેવાયું હતું.
- અમિત પટેલ સાથે કોઈને લેવા-દેવા નથી.
- કોઈની સંડોવણી નથી.
- અમિત પટેલે બારોબાર કર્યું હશે.
- રીજેક્શનનો પ્રશ્ન નથી.
- 2 હજાર ખેડૂતોની મગફળી રીજેક્ટ કરી છે.
- ઓડિયો ક્લીપ બાબતે તપાસ કરવાની જવાબદારી છે.