ગુજરાત / આજથી સરકારી ગાઇડલાઇન મુજબ ભક્તો માટે ખુલ્યાં કેટલાંક મંદિરોના દ્વાર, અન્ય મંદિરો હજુ પણ બંધ

 gujarat lockdown government guideline temple open

રાજ્યભરમાં આજથી મંદિર, મસ્જિદ, રેસ્ટોરન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં આજથી મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે. મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધારે વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. આ સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં. ગુજરાતમાં કેટલાક મંદિરો આજથી ખુલ્યાં છે. સોમનાથ, દ્વારકાધીશ, શામળાજી મંદિર આજથી ખુલી ગયું છે. સોમનાથ, દ્વારકા અને શામળાજી મંદિર ભક્તો મોટે ખુલ્લુ મુકાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ