રાજ્યભરમાં આજથી મંદિર, મસ્જિદ, રેસ્ટોરન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં આજથી મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે. મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધારે વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. આ સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં. ગુજરાતમાં કેટલાક મંદિરો આજથી ખુલ્યાં છે. સોમનાથ, દ્વારકાધીશ, શામળાજી મંદિર આજથી ખુલી ગયું છે. સોમનાથ, દ્વારકા અને શામળાજી મંદિર ભક્તો મોટે ખુલ્લુ મુકાયું છે.
અઢી મહિના બાદ સોમનાથ દાદાના ભક્તોએ કર્યા દર્શન
કોરોનાના કહેરને લઈને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે મંદિરો બંધ કરાયા હતા. અંદાજે અઢી મહિના બાદ સોમનાથ દાદાના ભક્તોએ દર્શન કર્યા છે. આજથી સોમનાથ મંદિર ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકાયું છે. વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે મંદિરમાં આજે મહાપૂજા કરાઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ વહેલા સાજા થાય તે માટે મહાપૂજા કરાઈ છે.
ઊંઝામાં આજથી ઉમિયાધામના દ્રાર ભક્તો માટે ખૂલ્લા મુકવામાં આવ્યાં છે. સવારે 7 થી સાંજે 6 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. જો કે ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાની સાથે મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ મળશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ દોરવામાં આવ્યા છે. તેમજ દર્શનાર્થીઓ માટે હેન્ડવોશની ખાસ વ્યવસ્થા રખાઇ છે. સૌથી દિલચશ્પ વાત એ છે કે, લોકડાઉન બાદ મંદિર ખૂલતા અહીં ભક્તોનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મંદિર સંચાલકે દ્રારા ઢોલ, નગારા શરણાઈ દ્રારા મદિંરોમાં ભક્તોનું સ્વાગત થાય તેવી વ્યવસ્થા કરી છે.
આજથી ગિરનાર પર્વત પર સ્થાપિત અંબાજી મંદિર ખોલવામાં આવ્યું
અનલોક વનની સરકારી ગાઇડ લાઇન મુજબ આજે ગિરનાર પર્વત પર બિરાજતાં અંબાજીનું મંદિર પણ ખોલવામાં આવ્યું છે. મંદિરને સેનેટાઇઝ કરીને ધૂપ આરતી કરાઈ હતી. તેમજ દર્શનાર્થીઓ માટે પણ સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્રારા કરવામાં આવી છે. મંદિરની આરતી બંધ મંદિર કરવાનો નિર્ણય લેવાશે. તેમજ 6 ફૂટના અંતરે રહીને શ્રદ્ધાળુ દર્શન કરી શકશે.
આજથી દામોદર કુંડ તર્પણ વિધિ માટે મુકાયો ખુલ્લો
સરકારની ગાઇડલાઇન મુજબ આજથી દેશના ધાર્મિક સ્થળો ખૂલ્લી રહ્યાં છે ત્યારે જૂનાગઢનો દામોદર કુંડને પણ શ્રદ્ધાળુ માટે ખૂલ્લો મૂકાયો છે. સામાન્ય રીતે અહીં લોકો પિતૃ તર્પણ વિધિ કરવા માટે આવતા હોય છે. આ વિધિ માટે કુંડને ખોલી દેવાયો છે. જો કે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અન્ય ગાઇડલાઇને ચુસ્તપણે અનુસરીને જ પિતૃ તર્પણ વિધિ કરવા દેવામાં આવશે
દ્વારકાધિશ મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલ્યા
લોકડાઉન બાદ અનલોક વનમાં આજે ભારતના મોટા ભાગના ધાર્મિક સ્થળો ખૂલી રહ્યાં છે. ત્યારે દ્રારકાધિશ મંદિરના પણ કપાટ ખૂલી ગયા છે. આજે મંદિર સંચાલક દ્રારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મંદિરના દ્રાર ખોલ્યા છે. દર્શનાર્થીઓને માસ્ક પહરવું ફરજીયાત છે. તેમજ મંદિરમાં વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં અપાય. કોરોના વાયરસની ભીતિને જોતા મંદિર પ્રશાસન દ્રારા સેનેટાઇઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા કરાઇ છે.
આજથી શામળાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું
ભક્તો દર્શન કરી શકે તે માટે આજથી શામળાજી મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું છે. સરકારના નિયમોને આધીન ભગવાનના ભક્તોને દર્શન કરવાના રહેશે. મંદિરને દિવસમાં ત્રણ વખત સેનેટાઈઝ કરવાનું રહેશે. મુખ્ય દરવાજાથી સેનેટાઈઝ કર્યા બાદ જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. જોકે શામળાજીની આરતીનો ભક્તો લાભ નહી લઈ શકે. મંદિરમાં શ્રીફળ અને પ્રસાદી પણ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે.
કાગવડ ખાતે ખોડલધામ મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્યાં
લોકડાઉન 4 બાદ અનલોક -1માં કેન્દ્ર સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જે મુજબ 8 જૂન એટલે કે આજથી ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી અપાઇ હતી. જે અંતર્ગત આજે કાગવડ ખાતે આવેલ ખોડલધાના દ્રાર પણ દર્શનાર્થીઓ માટે ખોલાયા છે. જો કે કોરોનાના કારણે 60 વર્ષ ઉપર અને 10 ની નીચેના બાળકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે તેમજ મંદિરમાં મંદિરમાં પ્રસાદ ભોજનાલય ચા ઘર બંધ રહેશે.