રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અશ્વિની કુમારે કહ્યું કે ગાંધીનગર આવતીકાલથી સંપૂર્ણ બંધ રખાશે. કલોલ પણ 17મી મે સુધી બંધ રખાશે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતના કોઇ પણ રાજ્યની કંપની આવે તો તેને સહાય
નવું યુનિટ સ્થાપે તો પણ 1200 દિવસની મુદ્દત વાળી છુટછાટ
કોરોના સંકટ બાદ નવા ઉદ્યોગોનું સર્જન થાય તેવા પ્રયાસ
જેમાં મિનિમમ ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તી અપાઇ છે. 3 મહિના માટે મુક્તિ આપવામાં આવશે. 10મી મેના ગેસના ચાર્જીસ ડ્યુ થાય તેને ભરવા 23 જુન સુધીનો સમય અપાયો છે. 15-15 દિવસના 4 હપ્તા કરી આપ્યા છે. આમ ગેસનો ઉપયોગ કરતી તમામ ઇન્ડ્રસ્ટ્રીઝ માટે રાહત આપી છે. લેટ પેમેન્ટ પર વ્યાજના દરને 18 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો છે.
જ્યારે ગુજરાતમાં વધુમાં વધુ ઉદ્યોગકારો આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. નવા ઉદ્યોગો આવશે તેનાથી રોજગારી ઉત્પન થશે. ભારતના કોઇ પણ રાજ્યની કંપની આવે તો તેને સહાય અપાશે.
કોઇ નવું યુનિટ સ્થાપે તો પણ 1200 દિવસની મુદ્દત વાળી છુટછાટ મળશે. 1200 દિવસમાં 3 બાબત સિવાય છૂટછાટ આપવામાં આવી છે. બહારની કે ગુજરાતમાં પણ કોઇ નવી ઇન્ડ્રસ્ટ્રીઝ સ્થાપે તો સહકાર આપવામાં આવશે. કોરોના સંકટ બાદ નવા ઉદ્યોગોનું સર્જન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
સરકારના મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર આવતીકાલથી સંપૂર્ણ બંધ રખાશે
કલોલ પણ 17મી મે સુધી બંધ રખાશે
મિનિમમ ફિક્સ ચાર્જ ભરવામાંથી અપાઇ મુક્તી
3 મહિના માટે મુક્તિ આપવામાં આવશે
ગેસનો ઉપયોગ કરતી તમામ ઇન્ડ્રસ્ટ્રીઝ માટે રાહત
લેટ પેમેન્ટ પર વ્યાજના દરને 18 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
ગુજરાતમાં વધુમાં વધુ ઉદ્યોગકારો આવે તેવા પ્રયાસ
ભારતના કોઇ પણ રાજ્યની કંપની આવે તો તેને સહાય
નવું યુનિટ સ્થાપે તો પણ 1200 દિવસની મુદ્દત વાળી છુટછાટ
1200 દિવસમાં 3 બાબત સિવાય છૂટછાટ આપવામાં આવી
કોરોના સંકટ બાદ નવા ઉદ્યોગોનું સર્જન થાય તેવા પ્રયાસ