ગુજરાતમાં એક તરફ જ્યાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યાં છે. જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે 2 નામ રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યાં છે તેમાં અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકીનું નામ મોખરે છે.
પ્રદેશ કોંગ્રેસમાં થઈ શકે મોટા ફેરફાર
પ્રદેશ પ્રમુખની રેસમાં 2 નામ ચર્ચામાં
અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકીનું નામ આગળ
રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં ફરી ભૂકંપ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા વિપક્ષના નેતાના રાજીનામાને લઇને નવા નામો લઇને અટકળો તેજ જોવા મળી રહી છે.
જેમાં પ્રદેશ પ્રમુખની રેસમાં સૌથી 2 નામ આગળ છે તે અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકીનું છે. હાઇકમાન્ડ ફરી અનુભવી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. ત્યારે રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને બદલવાને લઇને અટકળો લગાવામાં આવી રહી છે.
રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જ્યારે વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે પુંજા વંશ અને શૈલેષ પરમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે યથાવત રાખવામાં આવી શકે છે.
ગુજરાતમાં હાલ યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો હતો. જેને લઇને હાઇકમાન્ડે નારાજગી દર્શાવી હતી. રાજ્યના પ્રભારી રાજીવ સાતવ હાઇ કમાન્ડને રિપોર્ટ સબમીટ કરશે. જો કે તે પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામાં પક્ષને મોકલી આપ્યાં છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને ભણકારા વાગી રહ્યાં છે, કોંગ્રેસમાં ફરી ડખો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં હાલ જ્યાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં ફરી ભૂકંપ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રદેશ કોંગ્રેસમાં મોટા બદલવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જેમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને બદલાવામાં આવે તેવી સૂત્રોને માહિતી મળી રહી છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બદલવા મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ બંને નેતાઓ મુદ્દે ચર્ચા કરશે. હાલ હાઇ કમાન્ડે બંને નેતાઓ વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું ધ્યાનમાં લીધુ હતું. જેમાં સંગઠન અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચે પણ સંવાદનો અભાવ હોવાનું સામે આવ્યું છે.