ગઇકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતીકાલે પરિણામો જાહેર થવાના છે તે વચ્ચે સટ્ટા બજારનો માહોલ પણ ગરમાયો છે.
રાજ્યની 6 મનપાના આવતીકાલે પરિણામ
રાજકોટમાં સટ્ટાબજારમાં મતદાન પછી ભાવમાં વધઘટ
રાજકોટમાં સટ્ટાબજારમાં ભાજપને 43 બેઠકોનુ અનુમાન
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો અને 41.75 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે ત્યારે સટ્ટા બજારમાં પણ મતદાન બાદ ભાવમાં વધઘટ થઇ રહ્યા છે.
સટ્ટા બજારમાં ભાજપને 43 બેઠક મળવાનું અનુમાન
આપને જણાવી દઇએ કે, રાજકોટમાં સટ્ટાબજારમાં મતદાન પછી ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ભાજપને 43 બેઠકોનુ અનુમાન છે તો કોંગ્રેસને 22 બેઠકો અને AAPના ભાવ સ્થિર છે અને 5 બેઠકના ભાવ મતદાન પછી યથાવત રહ્યા છે.
મતદાન પહેલા 50થી 52 બેઠકનું અનુમાન હતું
મતદાન પહેલા ભાજપને 50થી 52 બેઠકનું અનુમાન હતું જો કે, ત્યારબાદ ભાવમાં વધઘટ જોવા મળી હતી અને હવે ભાજપને 43 બેઠકોનું અનુમાન છે.
ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.