સુરતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કારની પરંપરા શરુ થયેલી જોવા મળી છે.
સુરતમાં ચૂંટણીમાં બહિષ્કારની પરંપરા શરૂ
સુરતની વધુ એક સોસાયટી દ્વારા બહિષ્કાર
મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશોનો વિરોધ
સુરતની મોરભાગળ વિસ્તારની સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. દુર્ગાપુરી સોસાયટીના રહીશો દ્વારા રાજકીય આગેવાનોના પ્રવેશની મનાઇ ફરમાવી છે.
સુરત શહેરના વોર્ડ નંબર 9માં આવેલી મોરભાગળ વિસ્તારની સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જેમાં દુર્ગાપુરી સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશની મનાઇ ફરમાવી છે.
જેમાં સોસાયટીના સ્થાનિકો દ્વારા સોસાયટીમાં વરસાદી પાણીની સમસ્યાને લઇને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોસાયટીના આંતરિક રસ્તા ન બનાવ્યા સામે પણ રોષ વ્યક્ત કરતા સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
આમ સુરતની મોરભાગળ વિસ્તારની સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. દુર્ગાપુરી સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશની મનાઈ ફરમાવી છે. શહેરના વોર્ડ નંબર 9માં આ સોસાયટી આવેલી છે.