ગુજરાતમાં 6 નગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટી એ વધુ એક સરસ જાહેરાત કરી છે.
ડો. કિશોર રૂપારેલીયાએ કરી જાહેરાત
વેતન ગરીબ બાળકોના અભ્યાસમાં વાપરવામાં આવશે
સ્વચ્છ રાજનીતિની શરૂઆતનો દાવો
સુરતમાં AAPના કોર્પોરેટર ડો.કિશોર રૂપારેલીયાએ જાહેરાત કરી છે કે, AAP ના વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર વેતન નહીં લે. તેમનું વેતન ગરીબ બાળકોના અભ્યાસમાં વાપરવામાં આવશે. તેમેણે સાથે જ કહ્યું હતુ કે, સ્વચ્છ રાજનીતિની શરૂઆતનો થઈ ગઈ છે. માનદ વેતન નહીં લેવાનો નિર્ણય લોકોએ પણ આવકર્યો છે.
કેજરીવાલ આજે સુરતમાં
આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના મહેમાન બનશે. સવારે 8 વાગે તેઓ સુરત એરપોર્ટ પહોચશે. એરપોર્ટ પર કાર્યકરોનું અભિવાદન કેજરીવાલ કરશે. બપોરે સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગે રોડ-શોમાં ભાગ લેશે. વરાછા માનગઢ ચોક થી રોડ-શો શરૂ થશે. તેમજ યોગી ચોક, પુણા , કારગીલ ચોક અને સરથાણા વિસ્તારમાં રોડ શો યોજાશે. ત્યારબાદ સાંજે રોડ-શો બાદ સરથાણામાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને યોજાશે. સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્યથી દિલ્લી જવા રવાના થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે 81 ન.પા, 31 જિલ્લા પંચાયત, 231 તા.પંચાયતની ચૂંટણી છે. આજે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે 5 વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. 28 ફેબ્રુઆરીએ સવારે 7 ચૂંટણી મતદાન વાગ્યે થશે.
હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે
ગુજરાતની રાજનીતિમાં સુરતના માર્ગેથી પોતાનો પગ જમાવનારી આમ આદમી પાર્ટીએ 27 બેઠકની સાથે જનતા સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં નોંધપાત્ર જીતની સાથે મનોજ સોરઠિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઈટાલિયાની સાથે સુરતમાં મનોજ સોરઠિયાને પણ જીતનું કારણ માનવામાં આવે છે. પરિણામની મોડી સાંજ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભામાં મનોજ સોરઠિયા દ્વારા એક જાહેરાત પણ કરી દેવાઈ છે.
મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે. SMCને લગતી ફરિયાદ કરવા માટે લોકોએ હેલ્પલાઈનનું માધ્યમ ઉપયોગ કરવું પડશે. મનોજે કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં ભ્રષ્ટાચારને આંખ આડા કાન કરતી હતી. જ્યારે સત્તાધારી ભાજપ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો. તો સાથે દાવો પણ કર્યો કે, આમ આદમી ન તો ભ્રષ્ટાચાર કરશે ન કરવા દેશે.
સુરત મનપા ચૂંટણી પ્રક્રિયા બાદ લોકોની શું છે અપેક્ષા
જનતાએ પોતાના મત આપી આમ આદમી પાર્ટીના જે ઉમેદવારને જીતાડ્યા છે. તેમની પાસેથી લોકોએ અપેક્ષા પણ રાખી છે. વેરાનું ભારણ ઓછું કરવા માટે માગણી કરાઈ છે. મેડિકલ સુવિધા ઉભી કરવા પણ લોકોની અપેક્ષા છે. લોકો શિક્ષણ ક્ષેત્રે પણ સુવિધા વધારવા માગણી કરી રહ્યા છે. મજબૂત વિપક્ષ હોવાથી કામ થવાની લોકોને આશા છે.