ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
શંકરસિંહ વાઘેલા ગમે તે સમયે જોડાશે કોંગ્રેસમાં
ભરતસિંહ સોલંકી શંકરસિંહને લાવવા કરી રહ્યાં છે મધ્યસ્થી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ગયા છે ત્યારે રાજ્યમાં રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે. દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવા સમાચાર આવી રહ્યાં છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં રાજ્યના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે સમયે કોંગ્રેસમાં ફરી જોડાય તેવી શક્યતા છે.
હાલ સૂત્રોને મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં આવવાની ઇચ્છા દર્શાવી હતી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાને લાવવા મધ્યસ્થી કરી રહ્યાં છે.
જો કે આ અંગે હજુ સુધી આ વાતને લઇને બંને તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જો કે શંકરસિંહ વાઘેલીની ઘરવાપસીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ મહોર લગાવશે. રાજ્યસભાની ચૂંટણી સમયે બાપુના કહેવાથી કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું.
શંકરસિંહની કોંગ્રેસમાંથી એક્ઝિટની કથા!
2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
કોંગ્રેસે ચૂંટણી પછી મુખ્યમંત્રી નક્કી કરવાની વાતને પકડી રાખી હતી
શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
કોંગ્રેસ તરફી 2017માં છોટુુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
કોંગ્રેસે એ પણ આરોપ લગાવેલો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે