ચૂંટણીપ્રચારના પડઘમ શાંત પડતાં મનપા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર અને ઝંડા ઉતારી દેવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
રીક્ષાઓમાંથી બેનરો-સાઉન્ડ હટાવાયા
રાજકીય પક્ષોના પ્રચારના બેનરો દૂર કરાયા
ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચારનો અંત થઈ ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના 6 જિલ્લામાં મનપાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરીએ યોજાશે. જેની 48 કલાક પહેલા ચૂંટણીનો પ્રચાર એટલે આજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીપ્રચારના પડઘમ શાંત પડતાં મનપા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર અને ઝંડા ઉતારી દેવામાં આવશે.
તો આ તરફ રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રાજકોટ મહાનગર પાલિકામાં પણ ચૂંટણી છે. ત્યારે રિક્ષાઓમાંથી બેનરો-સાઉન્ડ હટાવાયા છે. રાજકીય પક્ષોના પ્રચારના બેનરો દૂર કરાયા છે. આ સાથે તંત્ર પણ તમામ રીતે સજાગ બની ગયું છે.