ચૂંટણી પ્રચારની ભાગદોડ વચ્ચે હળવા મુડમાં સીઆર પાટીલ
લાલપુર ખાતે પ્રચારમાં સીઆર પાટીલની વાતથી રેલાયુ હાસ્ય
જામનગરના લાલપુરમાં સી.આર.પાટીલ હળવા મૂડમાં દેખાયા. ચૂંટણી પ્રચારની ભાગદોડ વચ્ચે સી.આર.પાટીલે લાલપુરમાં સભા દરમિયાન હળવા મૂડમાં વાત કરી અને તે દરમિયાન લોકોમાં હાસ્ય જોવા મળ્યું.
સી.આર.પાટીલે કહ્યું કે અહિંયા કોઇની પત્ની વાત માનતી હોય તો હાથ ઉંચો કરો. મારી પત્ની જ મારી વાત નથી માનતી તો તમારી તો ક્યાંથી માને. ત્યારે સી.આર.પાટીલની આ વાત સાંભળી લોકો હસવા લાગ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે 81 ન.પા, 31 જિલ્લા પંચાયત, 231 તા.પંચાયતની ચૂંટણી છે. આજે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે 5 વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. 28 ફેબ્રુઆરીએ સવારે 7 ચૂંટણી મતદાન વાગ્યે થશે.