ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોએ એક કોમી એકતાના પ્રતિકનું ઉદાહરણ પુરી પાડ્યુ છે.
અંકલેશ્વરમાં ચુંટાયેલા ઉમેદાવાર મંદિર પહોંચ્યા
વોર્ડ નં 5 માંથી ચુંટાયેલા મુસ્લિમ ઉમેદવાર મંદિર પહોંચ્યા
નિસાર મુલ્લા અન્ય વિજેતા ઉમેદવારો મંદિરમાં કર્યા દર્શન
ગુજરાતમાં ભાજપમાં મુસ્લિમ ઉમેદવારો પણ ભગવાનના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે. ભરૂચમાં આ કોમી એખલાસની ઝલક જોવા મળી હતી.
ભરૂચના અંકલેશ્વરમાં વિજેતા મુસ્લિમ ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં. અંકલેશ્વરમાં આવેલાં માર્કંડેશ્વર મંદિરમાં ભાજપના આ ઉમેદવારોએ શીશ ઝુકાવ્યુ હતું. વોર્ડ નં 5 માંથી ચુંટાયેલા મુસ્લિમ ઉમેદવાર મંદિર પહોંચ્યા હતાં. નિસાર મુલ્લા અન્ય વિજેતા ઉમેદવારોએ મંદિરમાં પહોંચી દેવદર્શન કર્યા હતાં.
ભાજપનો ભવ્ય વિજય
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે ફરી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ભાજપને બહુમતિ મળી છે. 28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતો માટે ચૂંટણી યોજાઇ હતી. જેની 2 માર્ચ મતગણતરી કરવામાં આવી છે. જેમાં ભાજપે 31 માંથી 31 જિલ્લા પંચાયતો પર કબજો કરી લીધો છે. જ્યારે તાલુકા પંચાયતની 231 બેઠકોમાંથી 196 બેઠકો પર ભાજપની જીત થઇ છે. તો નગરપાલિકાની 81 બેઠકોમાંથી 79 બેઠકો પર ભાજપનો વિજય થયો છે
ગત ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા અને તાલુકામાં પંચાયતમાં વધુ બેઠકો જીતી હતી
મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.