આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના મહેમાન બન્યા છે. સવારે 8 વાગે તેઓ સુરત એરપોર્ટ પહોચશે. એરપોર્ટ પર કાર્યકરોનું અભિવાદન કેજરીવાલ કરશે.
સર્કિટ હાઉસ પહોંચ્યા
બપોરે સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગે રોડ-શોમાં ભાગ લેશે. વરાછા માનગઢ ચોક થી રોડ-શો શરૂ થશે. તેમજ યોગી ચોક, પુણા , કારગીલ ચોક અને સરથાણા વિસ્તારમાં રોડ શો યોજાશે. ત્યારબાદ સાંજે રોડ-શો બાદ સરથાણામાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને યોજાશે. સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્યથી દિલ્લી જવા રવાના થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે 81 ન.પા, 31 જિલ્લા પંચાયત, 231 તા.પંચાયતની ચૂંટણી છે. આજે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે 5 વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. 28 ફેબ્રુઆરીએ સવારે 7 ચૂંટણી મતદાન વાગ્યે થશે.