ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો, પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. દારૂ પ્રતિબંધિત રાજ્યમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીની ઘટનાઓ છાશવારે બનતી રહે છે.
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે: જગદીશ ઠાકોર
પોલીસ સક્રિય છે તેથી આ મહેફીલ ઝડપાઇ- ગણપત વસાવા
ભ્રષ્ટ નેતાઓના કારણે આ દૂષણ ચાલી રહ્યું છે: અલ્પેશ ઠાકોર
ખુલ્લેઆમ વેચાતા દારૂ પર અલ્પેશ ઠાકોરનું નિવેદન
ખુલ્લેઆમ વેચાતા દારૂ પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે લગ્ન પ્રસંગ કે બર્થ ડે પાર્ટીમાં દારૂ ફેશન બની ગયો છે. કાયદો તો છે પરંતુ તેનું કડક રીત અમલ નથી થતું. અમે ઇચ્છીએ છીએ આ દૂષણ દૂર થવું જોઇએ. જો ધારાસભ્ય અને સાંસદ આ મુદ્દે આગળ આવે તો આ દૂષણ હટી શકે છે. ભ્રષ્ટ નેતાઓના કારણે આ દૂષણ ચાલી રહ્યું છે. ત્યારે નેતાઓએ બુટલેગરોની ભલામણથી દૂર રહેવું જોઇએ. ઇમાનદાર નેતાઓએ આવા સમયમાં આગળ આવવું જોઇએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે નેતાઓએ બુટલેગરોની ભલામણથી દૂર રહેવું જોઇએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમે 84 તાલુકામાં અવેરનેશ કાર્યક્રમ શરૂ કરીશું. કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જાગૃત કરીશું.
દારૂની મહેફીલ મામલે ગણપત વસાવાનું નિવેદન
સુરતમાં દારૂની મહેફીલ મામલે ગણપત વસાવાએ કહ્યું કે પોલીસ સક્રિય છે તેથી આ મહેફીલ ઝડપાઇ છે. આ પ્રકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી થશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં પોલીસ આટલી સક્રિય ન હતી. ગુજરાતમાંથી આવી કોઇ બાબતો સામે આવતી ન હતી. અમારી સરકાર યુવાનો ગેરમાર્ગે ન દોરાય તેનું ધ્યાન રાખે છે. યુવાનોને આવું કાર્ય કરતા પોલીસ અટકાવશે.
દારૂબંધીને લઇ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. જગદીશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. અને ઉપરથી લઇ નીચે સુધી તમામને હપ્તો પહોંચે છે. અને આમા મોટા પોલીસ અધિકારીઓની મિલીભગત છે. ગુજરાતમાં જ્યાં માગો ત્યાં દારૂની ડિલિવરી મળે છે. દારૂબંધી અંગે અશોક ગેહલોતની વાત સાચી છે. સીએમ રૂપાણીના બંગલાની એક કિલોમીટર દૂર જ દારૂનો જથ્થ ઝડપાયો હતો.
દારૂની મહેફીલ પર અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
સુરતમાં દારૂની મહેફિલ પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાં દારૂબંધીના લીરેલિરા ઉડાડતી સુરતની ઘટનાને વખોડી હતી. અમિત ચાવડાએ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કારણે શાંતિ સલામતી અને મહિલાઓ અસુરક્ષિત છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસકોની હપ્તાખોરીને લઇ દારૂની કડક અમલવારી કરવી શકતા નથી. ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઇ રહે તે તેમની ઇચ્છા નથી.