ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. દારૂબંધીને લઈને રાજસ્થાનના CM અશોક ગેહલોતે વધુ એક નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું કે,ગુજરાતમાં પાડોશી રાજ્યમાંથી દારૂ આવે છે અને તે દરેક ગુજરાતી સારી રીતે જાણે છે. આ ઉપરાંત અશોક ગેહલોતે CM રૂપાણીને પણ સલાહ આપી છે.
દારુબંધ મુદ્દે વિવાદ યથાવત
અશોક ગેહલોતે CM રૂપાણીને આપી સલાહ
તેમણે કહ્યું કે CM રૂપાણીએ પાડોશી રાજ્યો સાથે મળીને એક્શન પ્લાન બનાવવો જોઈએ અને આ મામલે તેમણે પંજાબ પાસેથી બોધપાઠ લેવો જોઈએ. જે રીતે પંજાબે પાડોશી રાજ્યો સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો છે અને ડ્રગ્સની હેરાફેરી રોકી છે. એ જ રીતે ગુજરાતે પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે ચર્ચા કરવી જોઈએ. જો કે રૂપાણીજીએ મારી સાથે આ મુદ્દે કયારેય ચર્ચા નથી કરી.
પહેલા પણ અશોક ગેહલોતે આપ્યું હતું નિવેદન
એક બાજુ ગુજરાતમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે રાજસ્થાનના CM અશોક ગેહલોતે કાંકડો ચાંપવાનું કામ કર્યુ છે. કોંગ્રેસને ગુજરાત સરકાર સામે લડવાનો મુદ્દો આપી દીધો છે. દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેનાં પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો.
આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. અશોક ગેહલોત ઉપર હાલ તો માછલા ધોવાઈ રહ્યા છે. ખુદ ગુજરાતના CM તેમની સામે મેદાને ઉતરી આવ્યા હતા પણ તબ ક્યાં જબ ચીડિયા ચુક ગઈ ખેત. કોંગ્રેસ હવે મરણિયુ થઈને આ મુદ્દો પોતાના હાથમાંથી જવા દેવા તૈયાર નથી.
CM રૂપાણીએ આપ્યું નિવેદન
રાજસ્થાન CMને એક માત્ર દારૂબંધીનો મુદ્દો જ જણાયો? ગુજરાતમાં એ સિવાયના ઘણાય મુદ્દા છે. તેમાંય પૂજ્ય બાપૂની ભૂમિ અને ગુજરાતની અસ્મિતાને અશોક ગેહલોતના નિવેદનથી ઠેસ પહોંચી છે. ગુજરાતમાં વિકાસની ઘણી સારી બાજુ ઓ હતી જે રાજસ્થાનના CMને ના દેખાયો એ નવાઈની વાત છે. CM રૂપાણીએ પ્રતિનિવેદન તો આપી દીધુ પણ તેમનું બોલેલું કોંગ્રેસે હાલતો સાવ પોકળ સાબિત કર્યુ છે કારણ કે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં પકડાયેલા દારૂ ના આંકડા જાહેર કર્યા છે. જેને પગલે સરકારની પોલ ખુલી ગઈ છે.