દીપડાના હુમલામાં પ્લાસ્ટિક સર્જરી માટે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ સહાયની માગ કરી
ગુજરાત વિધાનસભા ગૃહમાં જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ દીપડાના હુમલામાં પ્લાસ્ટિક સર્જરી માટે સહાયની માંગણી કરી છે. ધારાસભ્યએ કહ્યું કે, અમારા વિસ્તારમાં સિંહ અને દીપડાનો ત્રાસ છે. દીપડાના માનવો પર હુમલાના કિસ્સા વધ્યા છે. દીપડા હુમલામાં પ્લાસ્ટિક સર્જરી માટે સહાય જાહેર કરો.
ધારાસભ્યએ વન વિભાગની કામગીરી મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. રોડ પહોળા કરવા હોય તો વન અધિકારીઓ અડચણ કરે છે. રબારી, ચારણ સમાજને જમીન આપેલી છે જેની વારસાઈ થતી નથી. જમીન વારસાઈ થાય તો લૉન મળે કે અન્ય સહાય મળે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સિંહોના મોત મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું કે રાજ્યમાં 283 સિંહોના મોત થયાનુ સરકારે સ્વીકાર્યુ છે. સરકારની નીતિથી સિંહના મોત થયા છે. સિંહો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અકસ્માતમાં સિંહોના મોત થયા છે. વન વિભાગની પૂરક માંગણીઓ પર દૂધાતે કહ્યું કે, જંગલ ખાતાની નીતિને લીધે ખનિજના બ્લોક પડતા નથી. દૂધાતે પ્રદૂષણ અંગે પણ કહ્યું કે, દિલ્હીના CMને પ્રદૂષણને લીધે ખાંસી બંધ થતી નથી. ગુજરાતમાં પણ પ્રદુષણ વધી રહ્યું છે.
ગત 2 વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાનાં મોત થયાં
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાના મોત થયા છે. જેમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ 2 વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.