લોકસભા ચૂંટણીની સાથે સાથે ગાંધીનગર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા હતા. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય થયો હતો. જેને લઈને આજે આ ચારેય ઉમેદવારો ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા છે.
શપથ લેનારા આ ચાર ઉમેદવારોમાં આશા પટેલ, જવાહર ચાવડા, પુરષોત્તમ સાબરિયા અને રાઘવજી પટેલનો સમાવેશ થાય છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લેવડાવ્યા છે. ગુજરાતમાં 4 ધારાસભ્યોએ શપથ લેતા ભાજપનું વિધાનસભામાં સંખ્યા બળ વધી ગયું છે. હાલ ભાજપનું સંખ્યાબળ વધીને 103 થઇ ગયું છે.
આ વિધીમાં જે તે ક્ષેત્રના ભાજપના નેતાઓને આ ચારેય પેરાશુટ નેતાઓ સાથે ગાંધીનગર પધારવા આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. ચાર ધારાસભ્યોમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા માણાવદરથી, ઓગસ્ટ 2017માં કોંગ્રેસમાં બળવો કરનાર રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી, ડો.આશા પટેલ ઊંઝા અને પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી ભાજપના મેન્ટેડ ઉપર પહેલીવાર ચૂંટાયા છે.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે VTV સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું કે, મંત્રી પદ માટે મને કોઇ પ્રકારની ઇચ્છા નથી, તો જવાહર ચાવડાએ જણાવ્યું કે, સરકારમાં રહીને પ્રજાના પ્રશ્નો હલ કરવાની પ્રાથમિકતા રહેશે. જ્યારે પુરષોત્તમ સાબરિયા કહ્યું કે. ભાજપના શાસનમાં સુરેન્દ્રનગરમાં સારો વિકાસ થયો છે.