ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ હતો ત્યારે કેટલાક અગત્યના બિલની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધાયક પણ વિધાનસભામાં રજૂ કરીને પસાર કરવામાં આવ્યું હતું.
ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધાયક પસાર થયુ
ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટી કાર્યવાહી થશે
મનપા અને નગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ લાગુ પડશે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધાયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અંતર્ગત ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટીઓ સામે હવે કાર્યવાહી થશે.
મનપા અને નગરપાલિકા વિસ્તારમાં લાગુ પડશે આ અધિનિયમ
નોંધનીય છે કે, કોંગ્રેસી ધારાસભ્યોએ ગામડાના સરકારી વાડાને પણ રેગ્યુલાઈઝ કરવાનું સૂચવ્યું હતું. જે અંતર્ગત આ બિલ મનપા અને નગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ લાગુ પડશે અને BU પરમિશન કે NA કર્યા વિનાની સોસાયટી કાયદેસર કરાશે.
આ બિલ પસાર થવાને કારણે વર્ષો પહેલા રૂ. 100 ના સ્ટેમ્પના આધારે મકાન ખરીદનાર લોકોને મોટો ફાયદો થવાનો છે. નોંધનીય છે કે, આ બિલ આજરોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
જિગ્નેશ મેવાણીએ ગૃહમાં મચાવ્યો હોબાળો
આપને જણાવી દઇએ કે, ગઇકાલે વિધાનસભામાં હોબાળો મચી ગયો હતો ખાસ કરીને અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં. આ મામલે અધ્યક્ષે જણાવ્યુ હતું કે મેવાણીનું વર્તન અયોગ્ય છે. મીડિયામાં આવવા માટે આવું વર્તન કરે છે. આથી મેવાણીને માર્શલે બોલાવી બહાર કાઢ્યા હતાં.