દિલ્હી ખેડૂત આંદોલનને લઇ સરકારની ચિંતા વધી છે. 13 રાજ્યોના ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર મજબૂત મધ્યસ્થીની શોધમાં છે. કૃષિ બીલ મુદ્દે ખેડૂતોને સમજાવી શકે તેવા મધ્યસ્થીની શોધમાં છે. ત્યારે હવે દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતના ખેડૂતો પણ સહયોગ આપશે.
ગુજરાત કિસાન સંઘ પ્રમુખ ડાહ્યાભાઈ ગજેરાનું નિવેદન
દિલ્હીમાં ચાલતા ખેડૂતોને સહયોગ અપાશે
ગુજરાતના ખેડૂતો 10 તારીખે ધરણા કરશે
દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો 11 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ 8 તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓ આજે થલતેજ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ 17 જેટલા ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને 8 તારીખના ભારતના બધના એલાનને સમર્થમ માટે 8 તારીખે ગુજરાત બંધ પાણીને સમર્થન અંગે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
ગુજરાતના ખેડૂતો 10 તારીખે ધરણા કરશે
તેમજ આજે યોજયેલી ખેડૂત અગ્રણી બેઠકમાં 8 તારીખે ભારત બંધ સામે ગુજરાત બંધનું એલાન કરીને મજદૂરો શ્રમિકો અને તમામ લોકોને ગુજરાત બંધના આહવાન અંગે આમંત્રણ આપ્યું છે. તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ ગુજરાતના ખેડૂતો 10 તારીખે ધરણા દ્વારા વિરોધ કરવાનો અને 11 તારીખે ગાંધીનગર ખાતે ખેડૂત સંસદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ નિષ્ણાંતો, સહકારી આગેવાન, ખેડૂતો આગેવાન સહિતના સાથે કાયદાના અંતર્ગત વિચાર વિમર્શ કાર્યક્રમ આપીને કાયદાનો વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ 12 તારીખે ખેડૂતો સાથે દિલ્હી કુચ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ટેકો જાહેર કરીને 35 યુનિયન સહકાર આપીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેરાત કરી છે.