કડાણા ડેમ માં થી મહીસાગર માં પાણી છોડતા મહી ખરેખર સાગર બની ગઈ છે. ગંભીરા અને કોઠીયાખાડ ની 500 એકર જમીન પર મહી ના પાણી ફરીવડ્યા છે જેને કારણે 6.50 કરોડ નું નુકશાન થયુ છે.
કડાણા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયુ
તંત્રએ નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કર્યા છે
રાબડીયા ગામના 35 લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર
મહીસાગરે આજે 4 વર્ષ બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ગંભીરા અને કોઠીયાખાડ ની ડૂબી ગયેલ જમીનમાં સર્વશ્રેષ્ઠ તમાકુ કપાસ અને ડાંગર નો પાક થતો હોય છે ચાલુ વર્ષે પણ ખેડૂતો એ સારો વરસાદ હોય ડાંગર કપાસ અને હાલ માંજ તમાકુ ની રોપણી કરી હતી પરંતુ મહી ના પાણી આ જમીન પર ફરી વળતા તમામ પાક સંપૂર્ણ નષ્ટ થવા પામ્યો છે
મહીસાગર નદીની ભયજનક સપાટી 14 મીટરની હતી પણ તેનું લેવલ હાલ 15.10 મીટરે પહોંચ્યુ છે. મહીસાગર નદીમાં 4 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. નદીએ ભયજનક સપાટી વટાવતા ગળતેશ્વર, લાછનપુર, સિધરોટ સહિતના ગામને એલર્ટ કરાયા છે.
નદીની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ થયુ છે
મહીસાગરમાં આવેલી મહી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. નદીની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ થયુ છે. મહીસાગરમાં તંત્રએ 43 જેટલા ગામને એલર્ટ કર્યા છે. હાલમાં કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યુ છે. નદીએ રોંદ્રે સ્વરૂપ ધારણ કરતા રાબડીયા ગામના 35 લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાવું પડયુ હતુ. તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરીને લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે.
ડેમમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણીની આવક
મહીસાગરમાં કડાણા ડેમમાંથી મહી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે.. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમના 15 ગેટ 18 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 4 લાખ 34 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાણીની આવક થતા તંત્રએ નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કર્યા છે.