ગુજરાતમાં પાકેલી તુવેર કરતા ટેકાના ભાવથી ખરીદાયેલી તુવેર 15 ગણી વધારે છે. આ કૌભાંડ કોની રહેમ નજર હેઠલ આચરવામાં આવ્યુ હશે? કેશોદ, જૂનાગઢ, વિસાવદર, માણાવદર એમ ચારેય કેન્દ્ર પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાંથી વધારેમાં વધારે 6255 કવીંટલ તુવેર ખરીદવા પાત્ર હતી તો તેની સામે 15 ગણી ખરીદી થઈ ગઈ તેમ છતાં કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યું?
ઉત્પાદનના 25 ટકાથી વધુ તુવેરની ખરીદી કરાઇ: કિસાન કોંગ્રેસ
જૂનાગઢમાં મગફળી બાદ તુવેર કાંડ થયુ હોવાના આરોપ લાગી રહ્યા છે. કિસાન કોંગ્રેસ સેલ દ્વારા સવાલ ઉઠાવાયા છે. કલેક્ટરને લેખિત રજૂઆત કરી અને સવાલો કરવામાં આવ્યા છે. એક વર્ષ બાદ તપાસ સમિતિનો સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. વર્ષ બાદ પણ તપાસમાં કંઇ સામે ન આવતા રજૂઆત કરવામાં આવી છે. કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી ન થતા રજૂઆત કરવામાં આવી છે. ઉત્પાદનના 25 ટકાથી વધુ તુવેરની ખરીદી કરાઇ હોવાના આરોપ છે.
25020 કવીંટલ તુવેરના ઉત્પાદન સામે 89152 કવીંટલ ખરીદી
જિલ્લામાં તુવેરનું કુલ ઉત્પાદન થયું 25020 કવીંટલ અને તેના 25 ટકા લેખે 6255 કવીંટલ થી વધારે ટેકાના ભાવે તુવેરની ખરીદી ન જ થવી જોઈએ. 25020 કવીંટલ તુવેરના ઉત્પાદન સામે 89152 કવીંટલ ખરીદી કેવી રીતે કરવામાં આવી?
4 ગણી વધારે તુવેર ખરીદી કરવામાં આવી
જિલ્લામાં કુલ ઉત્પાદન કરતા 4 ગણી વધારે તુવેર ખરીદી કરવામાં આવી તો શું ખેડૂતો બહારથી તુવેર લાવ્યા હતા. કે કૌભાંડીઓ બીજા રાજ્યમાંથી તુવેર લાવ્યા હતા? કૌભાંડીઓએ ખરીદવા પાત્ર કરતા 15 ગણી તુવેરની ખરીદી કરી લીધી એ વાત તપાસ સમિતિના ધ્યાને કેમ ન આવી? તુવેર - મગફળી કૌભાંડમાં એકપણ અધિકારીની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવી?
જિલ્લામાં કુલ 89152 કવીંટલ તુવેરની ખરીદી થઈ
જૂનાગઢ કેન્દ્ર 19554.5 કવીંટલ,
કેશોદ કેન્દ્ર 23021.5 કવીંટલ,
માણાવદર કેન્દ્ર 19822 કવીંટલ
વિસાવદર કેન્દ્ર 26754 કવીંટલ
તપાસ સમિતિનું કામ શું?
કૌભાંડોને ભીના સંકેલવા કે ખરા અર્થમાં તપાસ કરવી? કૌભાંડોના ડુંગર પર બેસી સરકાર દૂરબીનથી કૌભાંડ શોધતી હોય તેવો ઘાટ રચાય છે. તુવેર કૌભાંડની જેમ જ મગફળી કૌભાંડની તપાસ કરવામાં આવશે?
કૌભાંડ પૂર્વઆયોજન મુજબ જ થાય છે એ જોવા માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે? 22 જાન્યુઆરીએ ખરીદેલી મગફળી ટેકાના કેન્દ્ર પર 30 જાન્યુઆરી સુધી કૌભાંડ આચરવા માટે રાખી મુકવામાં આવી હતી? દરેક કૌભાંડ કિસાન કોંગ્રેસ, ખેડૂત આગેવાનો જ બહાર લાવે છે તો સરકાર, તંત્ર અને વિજિલન્સ ટિમ શું કામ કરે છે?
સળગતા સવાલ
તુવેર કૌભાંડમાં તપાસ સમિતિએ એક વર્ષમાં શું તપાસ કરી?
સરકાર દ્વારા ઉત્પાદન કરતા વધારે ખરીદી કેવી રીતે કરાઈ?
25 હજાર ક્વિંટલ ઉત્પાદન તો 89 હજાર ક્વિંટલની ખરીદી કેવી રીતે થઈ?
જૂનાગઢ જિલ્લામાંથી માત્ર 15 ગુણીની ખરીદી બાદ પણ કેમ તપાસ નહી?
ઉત્પાદન કરતા વધારે ખરીદી થઈ તો તંત્રએ કેમ ધ્યાન ન દીધું?
શું ખેડૂતો અન્ય જિલ્લામાંથી તુવેર લાવીને વેચવા પહોંચ્યા હતા?
તુવેરની ખરીદીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું?
કૌભાંડીઓએ માત્ર 15 ગુણીની ખરીદી કરી તે વાત સમિતિએ કેમ ધ્યાને ન લીધી?
ખરીદીમાં બેદરકારી કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે?
જવાબદાર અધિકારીઓ સામે અત્યાર સુધી કેમ કાર્યવાહી કરાઈ નથી?
તપાસ સમિતિ કૌભાંડને દબવવાના કેમ પ્રયાસ કરે છે?
ખરીદીના કેન્દ્ર પર CCTV કેમેરા કેમ લગાવવામાં આવ્યા ન હતા?
ખરીદાયેલી મગફળીને 8 દિવસ સધી કેમ કેન્દ્ર પર મુકવામાં આવી?