BTP અને AIMIM વચ્ચેના ગઠબંધન તૂટવાની ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે BTPના પ્રમુખ છોટુ વસાવાએ VTV સાથે ટેલિફોનિક વાત કરી છે અને કહ્યું કે 'કોઈની સાથે વાત કરવાથી ગઠબંધન તૂટતું નથી'
BTP – AIMIM વચ્ચે ભંગાણ પડ્યું હોવાની ચર્ચા
ગઠબંધન તૂટવાની ચર્ચાઓથી રાજકીય ગરમાવો
BTPના પ્રમુખ છોટુ વસાવાની VTV સાથે વાતચીત
BTP અને AIMIM વચ્ચેના ગઠબંધન તૂટવાની ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે BTPના પ્રમુખ છોટુ વસાવાએ VTV સાથે ટેલિફોનિક વાત કરી હતી, મહત્વનું છે કે BTPના પ્રમુખ છોટુ વસાવાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વખતે AIMIM સાથે ગઠબંધન કર્યું હતું AIMIM એ અસદુદ્દીન ઓવૈસી પાર્ટી છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ પતંગા નિશાન પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ગઠબંધન તૂટવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઇ
ગઠબંધનમાં ભંગાણની પડવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા BTPના પ્રમુખ છોટુ વસાવાની VTV સાથે ટેલિફોનિક વાતચીતમાં ગઠબંધન તૂટવાનો ઈન્કાર કર્યો હતો છોટુ વસાવાએ કહ્યું હતું કે કોઈના કહેવાથી કે કોઈની સાથે વાત કરવાથી ગઠબંધન તૂટતું નથી, તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ દેશ માટે લાયક જ નથી. અમે ઓવૈસી કે કેજરીવાલને મળી શકીએ છીએ. કોંગ્રેસની વિખૂટા પડેલા પક્ષોની વાટાઘાટો તેજ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને તમામ રાજકીય પક્ષોએ કવાયત હાથધરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની તમામ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસમાંથી વિખૂટા પડેલા પક્ષોની સાથે પુન જોડાણ કરી પોતાની સ્થિતિને મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહેશ વસાવાની ભરતસિંહ સાથે મુલાકાતની ચર્ચાઓ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોંલકી અને એનસીબીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી સાથે પણ બેઠક થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ BTPના ધારાસભ્ય મહેશ વસાવા સાથે પણ બેઠકો થઈ હોવાાનું મના રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસમાંથી વિખૂટા પડેલાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે.