સ્વતંત્રતા દિવસને લઈને ગુજરાતમાં જાહેર થયું એલર્ટ, પોલીસે કરી સધન કાર્યવાહી શરૂ
સ્વતંત્રતા દિવસે કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો ન થાય કે માટે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૈશ એ મોહમ્મદ અને ઇન્ડિયન મુઝાહિદ્દીનના હુમલાની આશંકાને કારણે એજન્સીઓએ એલર્ટ પર રાખવામાં આવી છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છમાં પણ હાલમાં પોલીસ સતર્ક બની છે. અમદાવાદ રેલવે સ્ટેશન, એરપોર્ટ પર ચેકિંગ હાથ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્નીફર્સ ડોગ્સની મદદ પણ લેવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓનો સામાન પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે. હાઇવે, બસ સ્ટેન્ડ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બૂલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ રેલવે સ્ટેશને પહોંચ્યા છે. એલર્ટને પગલે સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુમલાની શક્યતાને લઇ ચેકિંગ કરાઇ રહ્યું છે.