દેશમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટનાં આંકડા ચોંકાવનારા છે. જેમાં એક વરવું સત્ય એ છે કે NCRBનાં રિપોર્ટ મુજબ વર્ષ 2001થી 2017માં ગુજરાતમાં થયેલી હત્યામાં સૌથી મોટું પ્રમાણ પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યા છે.
NCRB મુજબ ગુજરાતમાં હત્યાનાં કારણો
પ્રેમ પ્રકરણનાં કારણે હત્યામાં વધારો
પ્રેમ પ્રકરણમાં સૌથી વધું હત્યામાં આન્ધ્રપ્રદેશમાં
NCRBનાં આંકડા પ્રમાણે હત્યાનું પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ
દેશમાં વધી રહેલાં ક્રાઈમ દર્શાવતા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ વર્ષ 2001થી 2017 દરમિયાન હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી વધુ હત્યા પ્રેમ પ્રકરણનાં કારણે થઈ હોવાનો ઘટસ્ફોર્ટ થયો છે. NCRBનાં આંકડા જોઈએ તે પ્રેમ પ્રકરણમાં સૌથી વધું હત્યામાં આન્ધ્રપ્રદેશ (384 હત્યા) પ્રથમ અને મહારાષ્ટ્ર (277 હત્યા) દેશમાં બીજા ક્રમાંકે છે. તો ત્રીજા ક્રમે ગુજરાત છે. ગુજરાતમાં 156 હત્યા પ્રેમપ્રકરણનાં કારણે થઈ છે. જ્યારે ચૌથા ક્રમે પંજાબ છે અહીં 98 હત્યા છે.
NCRB મુજબ ગુજરાતમાં હત્યાનાં કારણો
ગુજરાતમાં હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છેજેમાં 156 કેસ નોંધાયા છે. જ્યારે બીજુ મહત્વનું કારણ અંગત અથવા જુની અદાવત છે. જેને લઈને 151 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 101 કેસ સંપતિ વિવાદ, 68 કેસમાં લાલચ અને 18 કેસમાં કોમવાદને કારણે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
પ્રેમ પ્રકરણનાં કારણે હત્યામાં વધારો
2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ 156 હત્યા થઈ છે. તેની સામે અંગત અદાવતમાં 151, સંપત્તિ વિવાદમાં 101, લાલચમાં 65 જ્યારે કોમવાદના નામે 18 હત્યા થઈ હતી. આ વિષે વાત કરીએ તો વર્ષ 2001માં દેશમાં 36202 હત્યા થઈ હતી. જ્યારે 2017માં હત્યાનાં પ્રમાણમાં 21 ટકા ઘટાડો થયો છે. વર્ષ 2017માં આ આંક 28653 છે. જેમાં પ્રેમ પ્રકરણને કારણે થતી હત્યામાં 28 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સંપત્તિ વિવાદમાં 12 ટકાનો ઘટાડો અને અદાવતમાં થતી હત્યામાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.