ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે સારા સમાચાર છે. ગઈ કાલે એકલા અમદાવાદમાં જ 57 કેસ નોંધાયા હતા. અને ગુજરાતમાં 94 કેસ જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં હવે રિપોર્ટ અહીં જ થઈ જતા જલદી થી સારવાર શક્ય બનશે અને કોરોનાને ફેલાતો અટકાવી શકાશે.
અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં જ થતા હતા કોવિડ 19 ટેસ્ટ
લેબમા પરીક્ષણ બાદ 24 કલાકમા આવશે રિપોર્ટ
કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરીને કરી જાહેરાત
હવે અમદાવાદની SVP હોસ્પિટલમાં પણ કોરોનાના રિપોર્ટનું કરી શકાશે ટેસ્ટ. માત્ર 24 કલાકમાં જ કોરોનાનો રિપોર્ટ આવી જશે.કારણ કે અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઇ કોરોના ટેસ્ટ લેબ માટે AMCને ICMR દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
આ અંગે કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
AMC run @svphospital has received permission from ICMR to carry out COVID-19 PCR tests
જેને લઇ SVP હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવી છે..લેબને મંજૂરી મળતા હવે માત્ર 24 કલાકમાં જ રિપોર્ટ આવી જશે. મહત્વનું છે કે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં જ કોવિડ 19ના ટેસ્ટ થતા હતા પરંતુ હવે SVP હોસ્પિટલમાં ટેસ્ટ કરી શકાશે.જેના કારણે તાત્કાલિક કોરોનાના રિપોર્ટ આવી જશે.