નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની સ્થિતિ તંગ બની છે. ગુજરાત બંધના નામે કેટલાક ભાંગફોડીયા તત્વોએ પુર્વ આયોજિત કાવતરુ ધડીને શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ટલીજન્સ બ્યુરોએ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટેના ઇનપુટ આપ્યાં હતાં. આ ઉપરાંત હિંસક તોફાનો થશે જ એવાં IBના ઈનપુટ પણ હતા. મીર્ઝાપુર અને શાહઆલમ સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધર્ષણ જોવા મળ્યું છે.
પોલીસે મિર્ઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી
લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો
મીર્ઝાપુરની બબાલ શાંત થતા જ તેના પડઘા શાહઆલમમાં પડ્યા
પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો
સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જેને પગલે પોલીસે મિર્ઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મીર્ઝાપુરમાં પથ્થરમારો કરી રહ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ
મીર્ઝાપુરમાં પથ્થરમારો કરી રહ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. મીર્ઝાપુરની બબાલ શાંત થતા જ તેના પડઘા શાહઆલમમાં પડ્યા હતા જેમાં કેટલાક અસામાજીક તત્વોએ ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને હુમલો કર્યો હતો તેમજ પથ્થરમારો પણ કર્યો હતો જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઇર્જા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કરવા માટે પોલીસ ટીયરગેસના સેલ પણ છોડ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની તત્ત્વો મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કર્યો હતો તેવીજ મોડસ ઓપરેન્ડી મીર્ઝાપુર તથા શાહઆલમમાં વાપરવામાં આવી છે.