કોઈ IAS અધિકારી પાસે બંગલાની ભરમાર તો કોઈને કેટલાય રાજ્યોમાં મિલકતોનો છે થકકો
ગુજરાતના IAS અધિકારીઓની સંપતિ કેટલી?
સંપતિના એફિડેવિટમાં શું ખુલાસા થયા?
સરકારી સંપતિ પર ભાડાની આવક કેટલી?
આપણે જે સમાજ વચ્ચે રહીએ છીએ ત્યાં ઘરનું ઘર હોવું તે ગર્વની બાબત છે. પણ જ્યારે અઢળક સંપતિ કોઇના નામે હોય,કરોડોના ખજાનાનો તે માલિક હોય, અને અનેક જમીનોના દસ્તાવેજ પર કોઇનું નામ હોય ત્યારે તેમના પર શંકા જરૂર થાય. આ કેવી રીતે શક્ય બને? રાજ્યના મોટાભાગના IASના નામે ગાંધીનગર, દિલ્લી,યુપી,બિહાર કે પછી રાજ્યના કોઇના કોઇ સ્થળે સ્થાવર મિલકત છે. કોઇ પાસે જમીન છે તો કોઇએ ઘરમાં રોકાણ કરેલું છે. તેમના રોકાણમાંથી વર્ષે લાખો રૂપિયા ભાડાની આવકના મળે છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે સરકાર તરફથી મળેલા ઘર કે પ્લોટને ભાડે આપીને આ બાબુઓ કમાણી કરી રહ્યાં છે. મહત્વનું છે કે દર સાલ 31મી જાન્યુઆરી અગાઉ તમામ અધિકારીઓએ સ્થાવર મિલકત અંગે ડિકલેરેશન આપવું પડે છે. જેમાં અધિકારીઓ પોતાના નામે કઈ કઈ જગ્યાએ કેટલી મિલકતો છે અને એ મિલકતોમાંથી કેટલી આવક થાય છે એ વિગતો પોતે જ ડિલેકરેશન કરી જાહેર છે
અધિકારીઓએ તેમની સંપત્તિ કેમ જાહેર કરવી પડી?
IAS-IPS અધિકારીઓને પગાર ઉપરાંત પોતાની સ્થાવર મિલકતોમાંથી સારી કમાણી
દર વર્ષે 31મી જાન્યુઆરી અગાઉ તમામ અધિકારીઓએ સ્થાવર મિલકત અંગે ડિકલેરેશન આપવું પડે છે
ડિકલેરેશનમાં અધિકારીઓ પોતાના નામે ક્યાં-ક્યાં કેટલી મિલકતો છે અને કેટલી આવક છે તે જાહેર કરે છે
જાન્યુઆરી-2022માં ગુજરાતના 251 IAS અધિકારીઓએ પોતાની વિગતો જાહેર કરી હતી
આ વર્ષના ડિકલેરેશનમાં 2021ની વિગતો છે
50થી વધારે અધિકારીઓએ પોતાની પાસે કોઇ જ મિલકતો ન હોવાનું જાહેર કર્યું છે
અધિકારીઓએ જાહેર કરેલી વિગતો ઓનલાઇન મૂકવામાં આવે છે
આ વિગતોમાં પત્નીના નામે હોય એવી સંપત્તિ કે તેનામાંથી થતી આવકની વિગતો પણ છે
IPS અધિકારીઓ દ્વારા પણ ઓનલાઇન ડિકલેરેશન મૂકવામાં આવે છે
IPS અધિકારીઓનું પણ 2021 વર્ષની સ્થાવર સંપત્તિનું ડિકલેરેશન ઓનલાઇન મુકાઇ ગયું છે
મોટાભાગના અધિકારીઓએ ગાંધીનગરમાં રાહત દરે મળેલા પ્લોટ પર બનાવેલા બંગલા ભાડે આપ્યા છે
અહીં આપેલી વિગતો અધિકારીઓની એફિડેવિટને આધારે આપવામાં આવી છે
અધિકારીઓની એફિડેવિટ મુજબ મિલકતના વર્તમાન ભાવ જાહેર કરાયા નથી અથવા ઓછા જાહેર કરવામાં આવ્યા છે
સરકાર તેમના હોદ્દા અનુસાર તેમના નિવાસ માટે જગ્યા આપતી હોય છે હવે તેનો ઉપયોગ પણ જો ભાડાની આવક કરવા થવા લાગે તે કેટલું વ્યાજબી છે? ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના જાહેર કરાયેલા રિપોર્ટમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો થયો છે. અને જેને લઇને કેટલાક સવાલો પણ થાય ગુજરાતના IAS અધિકારીઓની સંપત્તિ કેટલી છે? શું IAS અધિકારીઓની આવકથી વધુ સંપત્તિની તપાસ થઈ શકે? સરકારી પ્લોટ પર અધિકારીઓની ભાડાની આવક કેટલી છે? અધિકારીઓએ તેમની સંપત્તિ-મિલકતો કેમ જાહેર કરવી પડી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહત્વનું છે કે આ જણાવેલી વિગતો IAS અધિકારીઓ એફિડેવિટ કર્યા હોવાને આધારે આપવામાં આવી છે. ઘણા અધિકારીઓની એફિડેવિટ પ્રમાણે, મિલકતના હાલના ભાવ જાહેર કરાયા નથી અથવા ઓછા જાહેર કરવામાં આવ્યા છે. તેથી હજુ પણ સાચો આંકડો બહાર આવ્યો નથી તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.