બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી હાઉસિંગ બોર્ડના મકાનોનું થશે રિડેવલપમેન્ટ, અસંતોષી લોકોનું કરાશે કાઉન્સેલિંગ, નહીં સમજ્યાં તો..!

નવતર પ્રયોગ / હવેથી હાઉસિંગ બોર્ડના મકાનોનું થશે રિડેવલપમેન્ટ, અસંતોષી લોકોનું કરાશે કાઉન્સેલિંગ, નહીં સમજ્યાં તો..!

Last Updated: 05:05 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હાલ રિડેવલપમેન્ટ સળગતો મુદ્દો છે. એક તરફ મકાનો જર્જરિત થઈ ચૂક્યા છે, ભયજનક છે, નોટિસો લાગી છે, તેમ છતાંય જુદા જુદા કારણોસર સોસાયટી રિડેવલપ નથી થઈ રહી. ત્યારે હવે આ મામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઼

ક્યાં પિલરના સળિયા દેખાતા હોય છે, ક્યાંક છતના ગાબડાં પડતા હોય છે. પોતાનું ઘર કહી શકાય તેવા અનેક મકાનો હવે માત્ર જર્જરિત સ્ટ્રક્ચર બની ચૂક્યા છે. પરિસ્થિતિ તો એવી છે કે ટાઢ, તડકા વરસાદથી બચાવનાર આ છત જ ગમે ત્યારે પડી જાય, તો ઘરની અંદર જ કબર બની જાય. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી અનેક સોસાયટીઓને ભયજનક હોવાની નોટિસ પણ આપવામાં આવી છે. જો કે, તેમ છતાંય હજ્જારો લોકો હજીય આવા મકાનોમાં રહે છે.

દરેકના પોતાના કારણો છે, કોઈ ભાડે રહે છે, તો કોઈએ પોતાની મહેનત મૂડીથી મકાન બનાવ્યું છે, એટલો છોડવા તૈયાર નથી. કોઈએ મકાનો આગળ વધારી દીધા છે, એટલે તેમને મોટા મકાન જોઈએ છે. તો કોઈના દસ્તાવેજ જ ક્લિયર નથી. રિડેવલપમેન્ટ સમયે આવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. જો કે, સરવાળે તો ચોમાસા જેવી સિઝનમાં આ આવા ઘર મોતના કૂવા જેવા બની રહ્યા છે. એટલે હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી ભયજનક બનેલી સોસાયટીઓને તાત્કાલિક રિડેવલપ કરવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ન માનતા રહીશોને કોર્ટની નોટિસ પાઠવવામાં આવશે

આ મામલે વીટીવીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી વી. એમ. પટણી સાથે ખાસ વાતચીત કરી. જે દરમિયાન અમને જાણવા મળ્યું કે નાગરિકોની સુવિધા માટે હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તાર પ્રમાણે બહેનોની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ ઘરે ઘરે જઈને લોકોને રિડેવલપમેન્ટ માટે સમજાવે છે. જેથી કરીને સર્વસંમતિથી વિના વિલંબે સોસાયટીઓ નવી બની શકે. પરંતુ છતાંય કેટલાક એવા લોકો હોય છે, જે આ રીતે મનાવવા છતાંય માનતા નથી. આવા નડતરરૂપ બનતા લોકોનો પણ ઉકેલ આવે, તે માટે પણ હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ તૈયારી કરાઈ છે. હવે આવા ન માનતા રહીશોને કોર્ટની નોટિસ પાઠવીને કોર્ટના આદેશ પર મકાન ખાલી કરાવવામાં આવશે. જેથી લોકોનું ઘરનું ઘર નવું તૈયાર થઈ શકે.

વધુ વાંચોઃ ફરીથી અમદાવાદના સ્કૂલવાન ચાલકોની મુશ્કેલીમાં થશે વધારો, 1 ઓગસ્ટથી તવાઈ શરૂ

98 ટકા સભ્યોની સંમતિ સાથે સોસાયટીનાં સભ્યો સંમત થયા

આ બાબતે સુરમ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મનુભાઈ ચૌધરીએ જણાવ્ચું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અમે 2016 માં જ્યારે રિડેવલપમેન્ટ પોલીસ આવી ત્યારથી એપ્લાય કરેલું હતું. સમય સંજોગો અનુસાર જે રીતે પોલીસીમાં ફેરફાર થતા ગયા તે મુજબ અમારા સોસાયટીનાં સભાસદોમાં ખૂબ જ સારો ઉત્સાહ હતો. તેમજ સરકારની પોલીસી ખૂબ જ સારી હતી. એટલે મોટું મકાન મળે, આધુનિક સગવડ મળે અને દરેકને તેનો લાભ મળે એ માટે મારી સોસાયટીની અંદર 90 ટકાથી વધુ સભ્યો સહમત હતા. આજે98 ટકા સભ્યોની સંમતિ સાથે મકાનનાં પઝેશન પણ આપી દીધા છે. તેમજ ટૂંક સમયમાં અમને પઝેશન પણ મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Redevelopment Gujarat Housing Board Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ