વર્ષ 2016 પહેલાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને હવે ફ્રી લીઝ કરવા હોય તો બે ગણી જંત્રી ચૂકેવવાના આદેશે લોકોમાં વિરોધનું વાતાવરણ ઉભું કર્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડે બજાર કિંમત વસૂલ કરીને મકાનની ફાળવણી કરી દીધા બાદ જે તે મકાનમાં કોઇ ફેરફાર કરવા હોય તો તેની પૂર્વ મંજૂરી કે એનઓસીની જરૂર આ પહેલા રહેતી ન હતી, પરંતુ 2016થી બોર્ડ મનસ્વી નિર્ણય કરી ફરજિયાત એનઓસી લેવાનો નિયમ બનાવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ફરજિયાત એનઓસી લેવાનો નિયમ બનાવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા
2016 પહેલા બાંધકામ માટે બોર્ડન મનસ્વી નિયમનો આક્ષેપ
આ ઉપરાંત રાજ્ય સરકારે ફ્રી લીઝ હોલ્ડ કરવા માટે અગાઉ 40 ટકા જંત્રી દર વસૂલ કરવાનો નિયમ હતો તેના બદલે જંત્રીદરના ડબલ રૂપિયા વસૂલ કરી ફ્રી લીઝ હોલ્ડ કરવાનો નિર્ણય કર્યો છે છે જેના કારણે 150 ચોરસ મીટરનું મકાન હોય તેમણે 70 લાખ રૂપિયા જેવી રકમ ભરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2015માં હાઉસિંગ બોર્ડના અધિકારી લાંચ લેતા પકડાયા બાદ 2016થી બાંધકામ માટે એનઓસી લેવાનો નિયમ બનાવી દેવામાં આવ્યો છે. તે મુજબ મકાનધારકોને મકાન વેચવુ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવું હોય તો જંત્રીદરના ડબલ રૂપિયા વસૂલ કરવા તેવો ઠરાવ 2019માં કરાતા 70 લાખથી સવા કરોડ રૂપિયા બોર્ડમાં ભરે તો જ ફ્રી લીઝ હોલ્ડર જ બની શકાય છે.