ગુજરાત કોંગ્રેસે કથિત લઠ્ઠાકાંડને લઈ સરકાર પર સવાલ કર્યા
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની પત્રકાર પરિષદ
બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મિથેનોલ પીવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે..ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે..અને લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
દારૂ મળતો ન હતો તેથી લોકોએ કેમિકલ ભેળવી પીધું એવું સરકાર બચાવ કરી રહી છે
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાએ સયુક્ત રીતે નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રાજ્યપાલનો સમય માંગ્યો હતો પણ રાજ્યપાલે મળવાનો સમય આપ્યો નથી. રાજ્યપાલે 5 વાગ્યાનો સમય આપ્યો હતો. તબિયત સારી ન હોવાથી રાજ્યપાલે કાર્યક્રમ રદ કર્યો છે. તેથી અમારી રજુઆત રાજ્યપાલ કાર્યાલય મોકલી આપીશુ. દારૂ મળતો ન હતો તેથી લોકોએ કેમિકલ ભેળવી પીધું એવું સરકાર બચાવ કરી રહી છે. અડ્ડા ચલાવતા હતા તેમની સામે માનવ હત્યા ગુનો દાખલ થવા જોઈએ. સરકાર કેમિકલ કાંડમાં ખપાવી રહી છે. સત્તાધારી પક્ષના કેટલાક નેતા આ ધંધો બંધ ન કરવા દીધો. ફેક્ટરીમાંથી કેમિકલ ચોરાયું એવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે ધારાસભ્યની ફરિયાદ ન નોંધી. ધારાસભ્યને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ચોકડી વિસ્તાર દેશી દારૂનો હબ છે. 600 લિટરમાંથી 200 લીટર કેમિકલ વેચાયું છે.
દારૂ પાયલોટિંગ કરીને પોલીસ નિર્ધારિત જગ્યાએ પહોંચાડે છે: જગદીશ ઠાકોર
ડ્રગ્સ પણ ગુજરાતના એક જ બંદરથી આવે છે. ગુજરાત માંથી ડ્રગ્સ ફેલાવાનું નેટવર્ક બન્યું છે. દારૂ પાયલોટિંગ કરીને પોલીસ નિર્ધારિત જગ્યાએ પહોંચાડે છે. પોલીસ સ્ટેશનમાંથી દારૂ ચોરાય છે. દારૂ ચોરાયેલો વેચાય છે. જવાબદાર વ્યક્તિ ગુજરાતના ગૃહમંત્રી છે.
CM એ તાત્કાલિક ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગને આદેશ કર્યા હતા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું કેમિકલ કાંડ મામલે પ્રતિક્રિયા આપતા માહિતી આપી કે અમદાવાદની એક કંપની માંથી કર્મચારીએ 600 લીટર કેમિકલ ચોર્યુ હતું જે બાદ બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં આ ચોરીનું કેમિકલ વેચવામાં આવ્યુ. કેમિકલને કારણે આપણા 42 નાગરિકો મૃત્યુ પામ્યા છે તેમજ હાલ 97 જેટલા નાગરિકો સારવાર હેઠળ છે.પહેલો કેસ સામે આવતા જ CM એ તાત્કાલિક ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગને સુચનો કર્યા હતા.ગામોમાં ઘરે ઘરે જઈને પોલીસના ચેકિંગ માટે આદેશ કરવામાં આવતા, ટોટલ 2500 થી વધુ પોલીસકર્મીઓએ ખેતરોમાં જઈ જઈને તપાસ કરી છે. ગામમાં શંકાસ્પદ લક્ષણ જણાતા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
'દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી હતી એટલે કેમિકલ લાવી વેચ્યું'
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે વેચનારથી લઈ કેમિકલ લેનારા સુધીના લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલીસે જે કામગીરી કરી છે તેણે કારણે ગુનેગારોને 2 દિવસમાં પકડી લેવામાં આવ્યા છે. પોલીસ રાત દિવસ એક કરીને કામગીરી આગળ વધારશે. દોઢ મહિનામાં મોસ્ટ વોન્ટેડ બુટલેગરોને પકડ્યા છે. ટોપ 10 વોન્ટેડ માંથી એક બુટલેગર પિન્ટુની પણ આજે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે બંધ કરાવી દેવાઈ હતી. પોલીસે દારૂની ભઠ્ઠી બંધ કરાવી એટલે કેમિકલ લાવવા બુટલેગરો પ્રેરાયા હતા.આવા કેમિકલને કેવી રીતે રોકી શકાય તે માટે ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરી છે. આગામી દિવસોમાં આ કેમિકલ પર કંટ્રોલ લાવવા ગૃહ વિભાગ પગલા ભરશે. આ એક સામાજિક દુષણમાં નાગરિક ભોગ ન બને એ માટે પોલીસ કામ કરશે, અમે કોઈપણ વિષય પરથી હાથ ઉંચા કરવા નથી માંગતા.