ગુજરાતમાં બેરજગારી ઘણી છે અને આ મુદ્દે ઘણા આંદોલન પણ થઈ રહ્યા છે ટ્વીટર પર પણ આ અંગે આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અગચ્યનું નિવેદન આપ્યું હતુ. આવો જાણીએ તેમણે શું કહ્યું?
શિક્ષિત બેરોજગાર આંદોલનને લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે નિવેદન આપ્યું. પ્રદિપસિંહે કહ્યું કે કોર્ટમાં કેટલાક મુદ્દા પર સુનાવણી ચાલી રહી છે. અને અમે આ મુદ્દાથી જાગૃત છીએ અને અમારે ચર્ચાઓ પણ થયેલી છે. સૌને રોજગારી મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
વિદ્યાર્થીઓએ કર્યુ આંદોલન
આજે સીએમ વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે સીએમના જન્મદિવસે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા ટ્વીટર પર અભિયાન શરૂ કર્યું છે. જેમાં સીએમનો જન્મદિવસ રોજગાર દિવસ તરીકે મનાવવાની માગ કરાઇ છે. અને સીએમ આજે રોજગારીની જાહેરાત કરે તેવી પણ માગ કરાઇ છે. શિક્ષિત બેરોજગાર સમિતિએ સીએમ વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા આપી અને રોજગારીની માગ કરી છે.
દેશમાં શું છે રોજગારીની સ્થિતિ?
2 વર્ષમાં માત્ર 2230ને મળી નોકરી
રાજ્યમાં 4.58 લાખ બેરોજગારો
4,33,663 શિક્ષિત બેરોજગારો નોંધાયા
23,433 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા
ગુજરાતમાં લાખો યુવાનોને રોજગારી આપવાના સરકારના દાવા સામે સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 2230 લોકોને સરકારી નોકરી મળી છે. 4.58 લાખ બેરોજગારો પૈકી 2230 લોકોને જ નોકરી મળી છે.
છેલ્લા 2 વર્ષમાં 4 લાખ 33 હજાર 663 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 23 હજાર 433 નોંધાઈ છે. જેમાંથી સરકાર માત્ર 2230 યુવાનોને જ સરકારી નોકરી આપી શકી છે.
જ્યારે સરકારી ચોપડે ખાનગી નોકરી મેળવનારા 7 લાખ 32 હજાર 139 યુવાનો નોંધાયો છે. છેલ્લાં 2 વર્ષમાં રોજગારીની સ્થિતિ અંગે ગૃહમાં સવાલ પુછાયો હતો.
રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી
ગાંધીનગરમાં રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી છે. જેમાં કુલ 580 જગ્યામાંથી 280 જગ્યા ખાલી છે. પશુધન નિરીક્ષક વર્ગ-3ની 60 ટકા જગ્યાઓ ખાલી છે.
ક્યાં કેટલી જગ્યા ખાલી?
કુલ એક હજાર 314 જગ્યાઓમાંથી 779 જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છમાં જ પશુ ચિકિત્સકની સૌથી વધુ ઘટ છે. કચ્છમાં પશુ ચિકિત્સકની 25 જગ્યાઓ ખાલી છે. ભરૂચ જીલ્લામાં પશુ ધન નિરીક્ષકની સૌથી વધુ 78 જગ્યાઓ ખાલી છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી