બિન સચિવાલયની પરીક્ષાને લઈને ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલસીદમનની ઘટનાઓના આક્ષેપ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, 2 દિવસમાં ગુજરાત સરકાર એકશન લેશે. જો કે આજે ચાલી રહેલા ઉમેદવારોના આંદોલન વિશે તેમણે હરફ સુધ્ધા નહોતો ઉચ્ચાર્યો.
તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનો દાવો
2 દિવસમાં સરકાર એકશન લેશે તેવી ખાતરી
જે સંડોવાયેલા છે તેની સામે લેવાશે પગલા
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો હાલ ગુજરાત સરકારના નાકમાં દમ લાવી શકે છે. આજે આ મામલે ગાંધીનગરમાં ધમધમાટ થઈ ગયો છે 400 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી આ વિશે કોઈ વાત-ચીત જ નથી કરતા તે પત્રકાર પરિષદમાં જણાવે છે કે, આ અંગે ગૃહરાજ્યમંત્રીએ તપાસની ખાતરી આપી હતી પરંતુ તેમણે આજે ઉમેદવારોનો આંદોલન વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો નહતો.
શું કહ્યુ રાજ્ય ગૃહમંત્રીએ?
તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર 2 દિવસમાં એકશન લેશે. જે સંડોવાયેલા છે તેની સામે પગલા જરૂર લેવાશે. સંચાલકો, ખંડ નિરીક્ષકોને બોલાવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ આવતી કાલથી આ અંગે સુનાવણી શરૂ કરશે. જે પેપર લીક થયું તે દાવો ખોટું હોવાનો પુરવા પણ આપશે.
કોંગ્રેસના ધારાસભ્યો જેલ ભરો આંદોલન કરી રહ્યા છે
બિન સચિવાલયની પરીક્ષાને લઇ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પણ વિરોધમાં પહોંચ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે સરકાર બિન સચિવાલયની પરીક્ષા રદ થવી જોઇએ. જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોએ આ અંગે જેલ ભરો આંદોલન શરૂ કર્યુ છે.
પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત
બિન સચિવાલય પરીક્ષાને લઈને કોંગ્રસના ધારાસભ્ય સી.જે ચાવડાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે બિન સચિવાલય પરીક્ષા રદ થવી જોઈએ. કારણ કે ભૂતકાળના અનેક પ્રકારના કૌભાંડો આવ્યા છે. પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધો આંદોલન યથાવત રાખવામાં આવશે. અને કોગેસ વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવશે. જરૂર પડે તો વિધાનસભાનો કોંગ્રેસ બહિષ્કાર કરવાનો સી.જે સાવડાએ ચિમકી ઉચ્ચારી છે