સરકારી જમીન પર દબાણો મામલે ગૃહમાં ઉઠ્યો ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહે આ અંગે મોટી વાત કહી હતી.
સરકારી જમીન પર દબાણને લઇ ગૃહમાં ચર્ચા
મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
સરકારી જમીન પર દબાણ થતા કલેક્ટર કાર્યવાહી કરી શકે: પ્રદીપસિંહ
શું કહ્યું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ?
આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સરકારી જમીન પર દબાણ થતાં કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. સુઓમોટો દાખલ કરી શકે છે. આ માટે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ( land grabbing act ) લાવ્યા છીએ. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે કાયદો છે. પ્રદીપસિંહ જાડેજાએ અમિત ચાવડાને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં કાયદા વ્યવસ્તાની શું સ્થિતિ હતી. અને અમારા સમયમાં કેવી છે. એ જનતા જાણે છે. માટે જ જનતાએ અમને સત્તામાં અને તમને વિપક્ષમાં બેસાડ્યા છે.
વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ( land grabbing act ) મુદ્દો ગુંજ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પાસે જવાબ માગ્યો છે. જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી થશે કે નહીં. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જમીન માફિયાઓ માટે એક્ટ લાવવામા આવ્યો છે. જમીન માફિયાઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે.
શું છે લેન્ડ ગ્રેબિંગ કાયદો ( land grabbing act )?
રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા( land grabbing act )ને મજબૂત બનાવાયો છે. કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાહેંધરી આપી આ કાયદાને કડક કર્યો છે. માફિયાઓ અને ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મિલકતમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. કલેક્ટરને લેખિતમાં દસ્તાવેજો સાથે ફરિયાદ કરવાની રહેશે.
સરકારે 7 અધિકારીઓની કમિટી બનાવી છે. દર 15 દિવસે ફરિયાદમાં તપાસ મુદ્દે રિવ્યુ કરવામાં આવશે. ફરિયાદ વ્યાજબી છે કે, ગેરવ્યાજબી તેની ચકાસણી કરાશે. 21 દિવસમાં કમિટી નિર્ણય લઇ કાર્યવાહી આગળ કરશે. પોલીસે 7 દિવસમાં ફરિયાત FIR કરવાની રહેશે. સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
6 મહિનામાં કેસનો નિકાલ કરવામાં આવશે. જિલ્લા પ્રમાણે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. આ કાયદા મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની સજા વધુમાં વધુ 14 વર્ષની સજા ફટકારવામાં આવશે. જમીન પચાવી પાડવાના કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ થશે. ખોટા દસ્તાવેજ કરી મિલકતો પચાવી પાડનાર સામે કાર્યવાહી કરાશે. ભૂમાફિયાઓ સામે હવે સરકાર આકારા પાણીએ થઈ છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં જમીન પચાવી પડવાની ફરિયાદો અને અરજીઓ સામે આવતી રહી છે.
મહત્વની વાતો
આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭ અધિકારીઓની કમિટીની રચના
દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે
ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ
કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે
વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ
દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે
આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.